SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 186 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 24. વિધાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ - હર્ષિદા રામુ પંડિત આપણા દેશની સંસ્કૃતિ મુજબ જીવનને ચાર આશ્રમોમાં વહેંચવામાં આવેલું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આપણે અહીં માત્ર પહેલા આશ્રમ અંગે ચર્ચા-વિચારણા કરીશું કારણકે મહાવીર જૈન વિદ્યાલય ઘાણા વિશાળ વિધાથી સમુદાયના જીવનના આ તબકકામાં પોતાનો રચનાત્મક ફાળો છેલ્લાં 35 વર્ષોથી આપતું આવ્યું છે. મુંબઇ જેવાં શહેરમાં શિક્ષણની સંસ્થાઓ ઘણીબધી છે. બહારગામથી અહીં ભણવા આવતા જેન વિદ્યાથીઓને રહેવાની સગવડ અહીં મળી રહે તો જ એ એકાગ્ર ચિત્તે ભણી શકે. વાસ્તવિક રીતે જોઈએ તો આ નાનીસૂની સગવડ નથી. એનું મૂલ્ય ત્યાં વસીને પોતાના જીવનનું ઘડતર કરનારો વર્ગ યોગ્ય રીતે આંકતો જ હશે એમ માની લઈએ. જીવનમાં પ્રારંભનાં વર્ષોમાં શિક્ષણ પ્રાપ્ત કરીને જીવનના સંઘર્ષો સામે લડવાની કુશળતા મેળવવાની છે. એનો યોગ્ય ઉપયોગ થતા ખાસ કરીને એ અવસ્થામાં જીવનનાં એયો, દિશા અને મહત્ત્વાકાંક્ષાઓ વિષેનું સ્પષ્ટ ચિત્ર મનમાં કંડારાય તો વિદ્યાર્થીવર્ગ બાકીનું જીવન સુપેરે જીવી શકે છે. આપણે જાણીએ છીએ કે જેટલા વિદ્યાથીઓ શાળા-કૉલેજો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે એમાંથી 1% સફળતા હાંસલ કરી શકતા નથી. ઘાણાંના સંજોગો કેટલીકવાર પ્રતિકૂળ હોય છે, કેટલાંકની બુદ્ધિશક્તિ મર્યાદિત હોઈ શિક્ષણ અધૂરું છોડતા હોય છે અને જીવનભર આ અધૂરપને મનમાં સંઘરી રાખતા હોય છે. પણ જે વિદ્યાર્થીઓ પોતાના વિષય અને કપરા જીવનસંજોગોનો સામનો કરીને પણ કાર્ય સિદ્ધ કરે છે.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy