SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેશમાં જળવાયેલી હસ્તપ્રતો અર્વાચીન સમયમાં લાઇબ્રેરીનું વિશેષ મહત્ત્વ છે. તેવું જ વિશેષ મહત્ત્વ પૂર્વકાલીન સમયમાં હસ્તપ્રત-ગ્રંથભંડારોનું હતું. આજે વિપુલ - માત્રામાં વિવિધ સાહિત્ય પ્રકાશિત થાય છે અને તેને વિવિધ ગ્રંથાલયોલાઇબ્રેરીમાં સંગ્રહવામાં આવે છે, જેનો સુશિક્ષિત વર્ગ સુંદર ઉપયોગ કરે છે. આવી જ રીતે પ્રાચીન સમયમાં પણ હસ્તપ્રતો નિપુણ લહિયાઓ પાસે લખાવીને વિવિધ હસ્તપ્રત-ગ્રંથભંડારોમાં સુવ્યવસ્થિત રીતે ભેટ રૂપે મોકલવામાં આવતી અને સુપેરે સંગ્રહિત કરવામાં આવતી. જેને લીધે આજે આટલી વિપુલ સંખ્યામાં ગ્રંથભંડારો અને લાખોની સંખ્યામાં હસ્તપ્રતો મળી આવે છે. • ભારતની મુખ્ય ત્રણ ધાર્મિક પરંપરા વૈદિક, બૌદ્ધ અને જૈનમાં આવા ગ્રંથભંડારો અસ્તિત્વમાં છે. પ્રાચીન સમયમાં હસ્તપ્રતો લખાવવી અને વિવિધ ગ્રંથભંડારોમાં ભેટ સ્વરૂપે આપવી તે જ્ઞાનોપાર્જન - પુણ્યપ્રાપ્તિનું કાર્ય મનાતું આથી શ્રેષ્ઠીઓ અને આચાર્યો આ કાર્યની અનુમોદના કરતા જેની ફલશ્રુતિરૂપ આજે લાખોની સંખ્યામાં હસ્તપ્રતો ઉપલબ્ધ છે. જૈન પરંપરામાં ચતુર્વિધ સંઘની અદ્ભુત સંઘટિત વ્યવસ્થાપદ્ધતિને કારણે આવા હસ્તપ્રત-ગ્રંથભંડારો અન્ય બે પરંપરાની સરખામણીએ વિશેષ સુઘટિત રીતે જળવાયેલા છે. આથી હાલ જે હસ્તપ્રત-ગ્રંથભંડારો આપણને પ્રાપ્ત થાય છે તેમાં મહદંશે જૈન જ્ઞાનભંડારો અને જૈન હસ્તપ્રતો છે. જૈન હસ્તપ્રતો વિદેશોમાં પણ સુપેરે સંગ્રહિત વિદ્યમાન છે. આજે અહીં આપણે વિદેશોમાં જળવાયેલા જૈન હસ્તપ્રત-ગ્રંથભંડારો વિશે વાત કરીશું. સામાન્યતઃ પ્રથમ તો એક જ પ્રશ્ન મનમાં ઉદભવે કે આપણી કલ્પનાબહેન શેઠ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy