SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ : : : XT : : K U ///// / છે • શ્રી ચારિત્રવિજય પણ ધીરે ધીરે આ વાત વાયે ચઢી. એક બે કાન પાસેથી પ્રચાર પામતાં ગામના સ્થાનકમાર્ગી શ્રીસંઘને ખબર પડે. આ ઘટના એમને મન ભયંકર હતી. એક મુનિ વેશ છોડી દે, ક્યાંય નાસી જાય કે બે ચાર ગામ પર પાણીનાં પૂર ફરી વળે તેના કરતાં પણ આ વાત વધુ ભયંકર હતી ! મુનિરાજને અનિચ્છનીય માર્ગથી પાછા હટવા ખાનગીમાં કહેવામાં આવ્યું. પણ તેની કંઈ અસર ન થઈ. મુનિજીએ પિતાની પ્રવૃત્તિ દઢ મને જારી રાખી. આ બાબત આખા સંપ્રદાયની સહિસલામતીની હતી. આવી વર્તણુક ચલાવી લેવાય તે બીજા સાધુઓ પણ એ માર્ગ તરફ ખેંચાય, કંઈક વધુ જાણવાની ને વાંચવાની ઈચ્છા કરે અને આમ થાય તો ચણેલી ને જાળવેલી આખી ઈમારત જમીનદોસ્ત થાય. મુનિ ધર્મસિંહજીની આ “સ્વછંદતા માટે સંઘે મક્કમ પગલાં લેવાને વિચાર કર્યો. આ માટે ધર્મસિંહજીને સવાલજવાબ કરવામાં આવ્યા. મુનિ ધર્મસિંહજીએ સ્પષ્ટ કહ્યું: “મારાથી સત્યને દ્રોહ નહિ થાય.” “ પૂએ જે કહ્યું ને લખ્યું તે ટું? એમનાથી પણ ડાહ્યા તમે?” સંઘ પાસે કેવલ “પરંપરાનું હથિયાર હતું. યુક્તિ ને દલીલોને સ્થાન નહોતું. સંઘનું ઝનૂન મુનિજીને ડરાવે તેમ નહોતું. એમના હૃદયમાં સત્યના પૂજારીની આત્મસમર્પણની ત જલી રહી હતી. એટલી જ શાનિતથી તેમણે સંઘને ઉત્તર વાઃ “શાસ્ત્રની પ્રામાણિકતા મારી દૃષ્ટિએ વિશેષ છે. અને તેથી જ શાસ્ત્રના સાચા માગે અનુસરું છું. સત્યના માર્ગેથી મને કદી પાછો ફેરવી શકશે નહિ. મારી વાત અસત્ય હોય તે સમજાવે! પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું.” અહીં ઈન્સાફની કચેરી નહોતી બેઠી કે સાચજૂઠને ન્યાય તળાય ! ગમે તેમ પણ ચાલતા ચીલાને જાળવી રાખવાની ભાવના સેવનાર ટેળું એકઠું થયું હતું. તેઓ સત્યને નિર્ણય S AJJ કિtણા જ ૩૬ . છે ને માં વિના જાતના બાર — — નનનના www.janelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy