SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચારિત્રવિજય જળપ્રલયની ભયંકર રાત વટાવી જીવન પામેલા કેટલાક ક્રૂર માનવીઓ, જાણે ગઈ કાલને પ્રસંગ ભૂલી જ ગયા હોય તેમ જળપ્રલયને બદલો વાળવા પાણીના ખાબોચિયાં અને જુદા પાણીથી ભરેલાં સ્થાનમાં જળચર જીવને સંહાર આરંભ્યો; આ સમાચાર મહારાજશ્રીના કાને આવ્યા. એકદમ બધે ફરી વળી ઉપદેશ આપીને સંહાર કામ બંધ કરાવ્યું, અને મેજર ઑગે પણ મહારાજશ્રીના અનુરોધથી તે અંગેને મનાઈ હુકમ કાઢવો આ કાર્ય પછી સ્ટેટના નાના મોટા દરેક અમલદારો મહારાજશ્રીના ભક્ત બન્યા. ખુદ મેજર સ્ટ્રોંગ પણ મહારાજશ્રીના અનન્ય ભકત બનેલ. આ ઉપકારના બદલામાં જ તે અણુ વાળવા ખાતર મેજર સ્ટ્રોગે જૈન શાસનનો અમર કીતિસ્થંભ રોપવા મહારાજશ્રીને પાંચ વીઘા જમીન ભેટ આપી; ભાવી ગુરુકુળનો પાયો સ્વહસ્તે જ નાખ્યો. આજે એ કીર્તિસ્થંભ મહારાજશ્રીની યશપતાકા આકાશમાં ઉડાડતો ઊભો છે. મહારાજશ્રીના અભૂતપૂર્વ કાર્યની એ સાક્ષી આપે છે! વંદન હો એ દયાસાગરને! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy