SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જળપ્રલય ધર્મ સમજતાં વાર ન લાગી, તે કરુણાપૂર્ણ, હિંમતભર્યાં હાથ અને હૈયા સાથે આગળ વધ્યા ! ઉપર્યુક્ત પ્રસ`ગ પાલીતાણાના ભયંકર જળપ્રલયના છે. શ્રીમદ્ ચારિત્રવિજય મહારાજશ્રીએ એ કારમી અંધારી રાત્રિમાં, પેાતાના એ ઉત્સાહી નવયુવાન શિષ્યાને જગાડ્યા, યશેાવિજયજી ગ્રંથમાળાના પુસ્તકાનાં ગુડઝ(goods) ઉપર બંધાઇને આવેલ મજમૃત રસ્સીએ, સામેના હોસ્પીટલના પીલર સાથે બધાવી. પેાતાના જાનની પણ દરકાર રાખ્યા સિવાય એ નિષ્કારણ બંધુ, પરમ ઉપકારી, દયામૂર્તિ સાધુમહાત્માએ કોઇ અદ્ભુત દૈવી ચમત્કાર બતાવ્યા હોય, તેમ જળપ્રલયમાં ડુબતાં અને તણાતાં ૩૫૦ થી ૪૦૦ મનુષ્યા તથા ૬૦૦ થી ૭૦૦ ઢારાને મચાવી જીવનદાન આપ્યું. જેમ ગાંડીવધન્વા રણાંગણમાં ખેલે અને વિજયપતાકા માટે પ્રાણની પણ દરકાર ન રાખે, તેમ આ દયાસાગર સાધુપુરુષે પ્રાણની પણ દરકાર રાખ્યા સિવાય જળપ્રલયના ભાગ બનતાં, અનેક પ્રાણીઓને બચાવી, દયાને વિજયસ્થભ રાખ્યું. તણાઇ આવેલાં એ માનવીઓમાં કેટલાંક મૂછિત અને કેટલાંક તે અધમૂહિત હતાં. ન હતું કપડાનું ભાન કે ન હતું. શરીરનું ભાન. કેટલાંક સ્ત્રી-પુરુષો તેા તદ્દન દિગમ્બર હતાં. આ બધાંની આકૃતિ એવી ભયંકર અને બિહામણી, તેમ જ કુત્સિત થઈ હતી, કે સામે જોવાનું મન પણ ન થાય; છતાં કાઈ પણ જાતની ઘૃણા સિવાય સમસ્ત માનવાતિના આ સેવકે દરેક જાતની સગવડો કરી--કરાવી. ગુરુકુલનેના અન્ન અને વસ્ત્રના ભ'ડાર ખુલ્લા મૂકાવી ઠંડીમાં હુંઠવાતા અને કાંપતા મનુષ્યેાને આશ્વાસન આપ્યું. આ ભયંકર રાત્રિનું વિષદ વર્ણન અને અવલેાકન પાલીતાણા સ્ટેટના મેડીકલ ઑફીસર ડૉકટર સાહેબ શ્રીયુત હેારમસજીએ સુદર શબ્દોમાં લખ્યું. એક જૈન તિના—સાધુના ઉચ્ચ કોટીના પરમાર અને નિઃસ્વાથી અમેઘ સેવાને ઉલ્લેખ કર્યા. પાલીતાણા સ્ટેટના એડમિનિસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ પાસે આ સમાચાર ગયા. મેજર સ્ટ્રાંગ આ સાચા જૈન યતિ-સાધુનાં દર્શન કરવા તરત જ મારતે ઘેાડે ગામમાં આવ્યા. મહારાજશ્રીને સહુ વંદન કરી સ્ટેટ તરફથી સુંદર શબ્દોમાં આભાર માની એલ્યાઃ “આપના જેવા સેવાપ્રેમી પપકારી પાદરીસાધુએથી આ સ્ટેટ ગેરવવતુ છે.” અતે મહારાજશ્રીના ફોટો લઇ પાલીતાણા તાકાર સાહેબને વિલાયત મેાકલ્યા. અને તેમને સ્ટેટના પરમ હિતેષી-ઉપકારી સાધુના પરિચય આપ્યા. Jain Education International For Personal & Private Use Only ૪૭ www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy