SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એ સંતની વિચારણા ૧૧ ઉજમણું જ્ઞાનનું હોય છે. ઘણાં સાધને એકઠાં કરાય છે. જ્યારે મુખ્ય જ્ઞાન તરફ કે જ્ઞાનની વૃદ્ધિ તરફ બેદરકારી હોય છે. આ ભૂલથી ઉજમણું નિંદાય છે. સાચી રીતે જ્ઞાનની વૃદ્ધિમાં કે ગ્રંથના પ્રચારમાં ધનવ્યય કરે, એ જ ઉદ્યાપનને સાચો અર્થ છે. જ્ઞાન માટે તે આ સિવાય પણ ઘણું ઘણું વિચારવા જેવું છે. જિનબિંબ પ્રશ્ન-પ્રતિમાઓ ઘણી છે. એમાં તે વધારો કરવાની કે જરુર નથી ? ઉત્તર-આ સમયમાં જિન-આગમ જેટલી જ જિનપ્રતિમાઓ ઉપકારક છે. પૂર્વાચાર્યોએ અનેક જિનબિંબ ભરાવી મહાન ઉપકાર કર્યો છે. શ્રાવક સંખ્યા વધે તે તે સંખ્યામાં વધારો કરવાની પણ જરૂર રહે. હાલ તે જેનેની સંખ્યા નાની છે. હજારો મૂતિઓ ભંડાર દાખલ છે. આ પરિસ્થિતિમાં નવી મૂર્તિઓ ભરાવવી એ જોખમ ભરેલું છે. માત્ર પ્રતિમા બનાવીને સંતોષ માનવાને નથી. પહેલાં તેના પૂજકે વધારવા જોઈએ-તેમાં જ અભિમાન લેવું જોઈએ. હાં...નવા વસેલા શહેરના જૈન વસવાટમાં કે પૂજા કરનાર શ્રાવકોની વૃદ્ધિમાં ભલે જિનાલય બનાવાય. સિવાય તે જીર્ણોદ્ધારનું જ ફળ લેવું. વસ્તીના પ્રમાણમાં શિખરબંધી મંદિરને બદલે ઘરમંદિરને અધિક પસંદ કરવું જોઈએ. ઓછી વસ્તીમાં શિખરબંધી મંદિર શરૂ થાય છે ત્યારે ઉત્સાહ હોય છે પણ પાછળથી બહ ખેંચાવું પડે છે. આવું થવાથી સંધમાં વિમનસ્ય જન્મે છે. મંદિર કરતાં આ દરેક બાબતને સતર્ક રહીને વિચાર કરવો ઘટે. મંદિર બનાવવાને બદલે હયાત મંદિરની સદ્વ્યવસ્થા કરવી એ સંપૂર્ણ વિવેકદૃષ્ટિ છે. પૂજનારાઓ માટે મંદિરે બનાવાય છે. ભાડુતી પૂજારીઓ માટે નથી બનાવાતાં. તો પૂજકોની સંખ્યા ઉપર જ મંદિરોની કે પ્રતિમાઓની સંખ્યા નિર્ભર છે. પ્રશન–બીજા ગામવાળા પૂજા વિના રહે, તે પણ અમારા ભાઈઓ મૂતિ આપવા જેટલા ઉદાર નથી, તે તેનું શું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy