SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાઠમાઠથી ઉજવણી કરતાં અને વ્યાખ્યાનસભામાં પોતાના ગુણાનુવાદ સાંભળતાં નજરે જોવા મળે છે ત્યાં આ ખાખી બંગાળી પૂ. દાદાએ તો તે વ્યાખ્યાનસભાનો જ ત્યાગ કરી દીધો. વ્યાખ્યાન દરમ્યાન પ. પૂ.પં. ચન્દ્રશેખર મહારાજ સાહેબે સકળસંઘના હિતખાતર પોતાના જીવનનું બલીદાન આપી રહેલા પૂ. દાદાના કઠોરાતિકઠોર સંયમજીવનની ભરપેટ અનુમોદના કરતાં રડતી આંખે ફરમાવ્યું કે “ જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે હું તેમના પગના અંગુઠાને મારું કપાળ ઘસીને તેમના પુણ્યદેહની ઓરા ગ્રહણ કરવા ઝંખતો હોઉં છું. આજે તેઓશ્રીની હયાતિ જ જૈનશાસન માટે આશીર્વાદ સમાન છે. આ મહાપુરુષની વર્ષોથી સેવા કરવા દ્વારા મારા શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયનો તો મોક્ષ નક્કી થઈ ગયો છે. આજે ગુરૂના નાતે હું તેની આ લખલૂટપુણ્ય કમાણીનો એક અંશ તેની પાસે માંગુ છું જે મારા આત્માનો ઉધ્ધાર કરવા માટે પર્યાપ્ત બની જશે.” કેવું પૂજ્ય દાદાનું જીવન ! કેવા પૂ. ગુરુદેવશ્રી ! કેવા શિષ્ય! ધન ધન જિનશાસનના અણગાર! હર હર ), 2 6 x 1/ મિ 0 5 ટે P શાંતિનાદાતાર સૂરિવર રસિકભાઇ ફૂલચંદભાઇ શાહ (સંસારી લઘુબંધુ) અમદાવાદ. શૈશવકાળમાં માદરેવતન માણેકપુરની ધન્યધરા ઉપર વડીલબંધુ હીરાભાઇ સાથેના થોડા વર્ષોના સહવાસ ના સંસ્મરણો આજે વર્ષો સુધી ૨૦] www. elibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy