________________
પૂજ્યપાદ પરમતપસ્વી શાસનસેવક આચાર્ય મહારાજશ્રીના સમાધિમય કાળધર્મ થયાના સમાચાર ચિત્તમાં અપાર ખેદ તથા આઘાતની લાગણી
પૂજ્યશ્રી
જન્માવનારા છે. એક ઉત્તમ તપસ્વી તથા શાસનને આિિજનોના
સમર્પિત સાધક આત્માની ખોટ પડી અને આપણો શ્રીસંઘ એ અંશે રાંક બન્યો. આવા આત્માની આરાધના-સાધનાની અનુમોદના કરીએ તેટલી ઓછી છે દૂર રહ્યા બીજું કરી પણ શું શકીયે?
સંયમાક
Sal...
તેઓશ્રીના સંયમમય આત્માને શાંતિ તથા શાસન સતત મળો તેવી કામના અને તેઓશ્રીના ગુણોનું સ્મરણ કરવું તે જ હવે આપણા માટે શેષ રહે છે તેમના જેવી શાસન સમર્પિતતા આપણને પણ મળો!
આ. શીલચન્દ્રસૂરિ - બેંગલોર
દાદાના કાળધર્મ પામ્યાના દુ:ખદ સમાચાર મલ્યા મારે આવવાની ખુબ જ ભાવના હતી. પણ ભવિતવ્યતા બલવાન!!!!
પર્યાયસ્થવિર મુનિ પુણ્યવિજય - ધોરાજી
પૂજ્યપાદશ્રી આચાર્ય ભગવંતના કાલધર્મના સમાચાર છાપા દ્વારા
જાણ્યાં ઘણું દુ:ખ થયું છે. મહાન સંયમીને મહાન તપસ્વી આત્માની વિદાયથી શાસનને ખોટ પડી છે. મુનિ મલયચન્દ્રવિજય – ડભોઇ
♦ પૂજ્યપાદ પરમોપકારી ગુરુદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજીના સમાચાર મળ્યા ખુબ જ આઘાત લાગ્યો, અમારા ઉપર સવિશેષ તેઓશ્રીનો ઉપકાર હતો.
•
♦ પૂજ્યશ્રીના વર્ણનાતીત ગુણોજ તેઓશ્રી તરફ સતત પૂજ્ય ભાવ પ્રગટ કરી રહ્યા હતા. પૂજ્યપાદશ્રી તપધર્મનાં મહાન સાધક હતા. સંયમજીવનની અત્યંત શુધ્ધિ ધરાવતા હતાં. સંઘ પ્રત્યે પૂજ્યશ્રીનો ખુબ જ વાત્સલ્યભાવ હતો. પૂજ્યશ્રીની નિર્દોષ ભિક્ષા માટેની ચીવટ તો ગજબ હતી.
♦
પૂજયશ્રી જાપ-ધ્યાન, સાધનાના મહાન સાધક આત્મા હતા. પૂજ્યશ્રી બ્રહ્મચર્યના અજોડ ઉપાસક હતા.
♦
ગિરનાર તીર્થ પ્રત્યે અને નેમિનાથપરમાત્મા પ્રત્યે પૂજ્યશ્રીને સવિશેષ પ્રેમ હતો, બહુમાન હતું, અતુટ શ્રધ્ધા હતી.
૦ વરસો પહેલાં મને કહેલું ‘“ મારો અંતિમ શ્વાસ હું ગિરનારમાં લઇશ’' આમ પૂજ્યશ્રીએ
પોતાની ભાવના પૂર્ણ કરી.
પૂજ્યશ્રીએ સંઘની એકતા માટે જે તપ કર્યો છે, જે ત્યાગ કર્યો છે. સવિશેષ પ્રયત્નો કર્યા છે ! એના માટે સંઘ હંમેશ માટે તેઓશ્રીનો ઋણી રહેશે.
♦ સકળ શ્રીસંઘમાંથી મહાન વિભૂતિ આત્માઓમાં છેલ્લામાં છેલ્લા વિભૂતિ સમાન પૂજ્યશ્રી હતા. તેઓશ્રીના વિરહથી મહાન સાધક આત્માની જબ્બરજસ્ત ખોટ શ્રી સંઘ અનુભવશે.
મુનિ હેમહંસ વિજય – બોડેલી
·
vare & Peronal Use Only
૮૯
www.brary.org