SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ મુશાસન હરિની હસ્તલિખિત પોથીમાંનાં રંગીન ચિ ત્રિો મુનીશ્રી પુણ્યવિજયજી શ્રી લક્ષ્મણગણિવિરચિત પ્રાત સુપાસનહચરિયની હસ્તલિખિત પ્રાચીન પ્રતિમાંથી પસંદ કરીને છ સુંદરતમ ચિત્રો આ સ્મારક ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. આ પ્રતિ, પાટણના “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં ત્યાંના તપાગચ્છીય જૈન સંઘની સમ્મતિથી મૂકાયેલા તપાગચ્છીય જૈન જ્ઞાનભંડાર ”ની છે. આ આખી પોથીમાં શ્રી સુપાર્શ્વનાથચરિત્રમાંના વિવિધ પ્રસંગોને દર્શાવતાં બધાં મળીને ૩૭ ચિત્રો છે, જે પૈકી ૩૧થી ૩૬ સુધીનાં ચિત્રો પ્રતિના માર્જીનને બાદ કરીને આખા પાનામાં આલેખાયેલાં છે અને બાકીનાં ચિત્રો પાનાના અર્ધા કે ત્રીજા ભાગમાં આલેખાયેલાં છે. દરેક ચિત્રની બાજુમાં ચિત્રનો ક્રમાંક અને તેનો પરિચય આપવામાં આવ્યો છે, જેનો કમવાર ઉતારો આ ચિત્રપરિચયમાં આપવામાં આવશે. પ્રતિમાંનાં ૨૦, ૪૦ અને ૩૩૨ એ ત્રણ પાનાં ખોવાઈ જવાને કારણે કે જીર્ણ થઈ જવાને કારણે નવાં લખાયેલાં છે અને તેમાં ચિત્રો પણ આલેખવામાં આવ્યાં છે, જે મૂળ ચિત્રકળાને પહોંચી શકતાં નથી. આ કારણસર પ્રતિમાં ક્રમાંક ૨-૩-૧૫-૧૬ અને ૭૧ એમ પાંચ ચિત્રો નવીન છે, જ્યારે બાકીનાં બધાં જ ચિત્રો પ્રાચીન અને બરાબર સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં છે. આખી પ્રતિ લગભગ જીર્ણદશાએ પહોંચવા છતાં તે આજ સુધી જે રીતે સચવાયેલી છે એ રીતે સચવાશે તો હજુ પણ બીજી બે-ચાર સદીઓ સુધી પ્રતિને કે ચિત્રોને આંચ આવે તેમ નથી. - આ પ્રતિનો નંબર ૧૫૦૬૯ છે અને તેની પત્રસંખ્યા ૪૪૩ છે. પ્રતિની લંબાઈપહોળાઈ ૧૧ ૪૪ ઈંચની છે. પાનાની દરેક બાજુ પર બાર લીટીઓ અને દરેક લીટીમાં ૩૨થી ૩૮ અક્ષરો લખેલા છે. પ્રતિની લિપિ સુંદર અને સચિત્ર સુંદર પોથીમાં શોભે તેવી છે. પ્રતિ વિક્રમ સંવત ૧૪૭૯-૮૦માં લખાયેલી છે. તેના અંતમાં નીચે પ્રમાણે લેખનસમયાદિને સુચવતી પુપિકા છેઃ - संवत् १४८० वर्षे । शाके १३४५ प्रवर्त्तमाने । ज्येष्ठ वदि १० शुक्रे बवकरणे । मेदपाटदेशे। देवकुलवाटके । राजाधिराजराणामोकलविजयराज्ये । श्रीमबृहद्गच्छे। मड्डाहडीय भट्टारक श्रीहरिभद्रसूरिपरिवारभूषण पं०भावचंद्रस्य शिष्यलेशेन । मुनि । हीराणंदेन लिलिखिरे। नंदे मुनौ युगे चंद्रे १४७९ ज्येष्ठमासे सितेतरे । दशम्यां लेखयामास शुभाय ग्रन्थपुस्तकम् ॥१॥ नंद-मुनि-वेद-चंद्रे वर्षे श्रीविक्रमस्य ज्येष्ठशिते । अलिखत् सुपार्श्वचरितं हीराणंदो मुनींद्रोऽयम् ॥ २॥ આ પુપિકામાં એટલું જણાવવામાં આવ્યું છે કે વિ. સં. ૧૪૭૯માં મેદપાટ-મેવાડ દેશના દેવકુલવાટક–દેલવાડામાં રાણા શ્રીમોકલના રાજ્યમાં બૃહદગષ્ણાંતર્ગત મડ઼હડીય આચાર્યશ્રી હરિભદ્રસૂરિના શિષ્ય ભાવચંદ્રના શિષ્ય હીરાણંદે આ પ્રતિ લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy