SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મવિહાર–જૈન અને જૈનેતર દષ્ટિએ વ્યાપક આત્મધર્મ હોવાથી તેની વ્યાપક ભાવનામાં મૈત્રી, કરુણુ, મુદિતા અને ઉપેક્ષા આવી જાય છે. એક જૈન કવિ-દાર્શનિક અમિતગતિ કહે છે તેમ, सत्त्वेषुमैत्री गुणिषु प्रमोदः संक्लिश्यमानेषु कृपापरत्वम् । અર્થાત પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો જોઈએ, જ્યાં જ્યાં આપણને સગુણ લોકો દેખાય ત્યાં તેમના પ્રતિ આનંદ વ્યક્ત કરવો જોઈએ અને દુઃખથી પીડાતા લોકો તરફ કરુણું બતાવવી જોઈએ. આચાર્ય હેમચંદ્રની બ્રહ્મવિહારકલ્પના : હેમચંદ્રાચાર્યનો એક જ શ્લોક બસ થશેઃ प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥ અર્થાત બ્રહ્મચર્ય પાળનાર માણસ પૂજાહં માણસો વડે પણ પૂજાય છે. આ બ્રહ્મચર્ય એટલે શું અને તે કેવું છે? ચારિત્ર્યનો પ્રાણ છે અને પરબ્રહ્મની જે સ્થિતિ છે તે પ્રાપ્ત કરાવનાર એક માત્ર કારણ છે એવું જે બ્રહ્મચર્ય તેનું પાલન કરનાર બ્રહ્મમાં સ્થિતિ કરે છે તે જ બ્રહ્મવિહારી છે. - શ્રી શુભચંદ્રની બ્રહ્મવિહારકલ્પના: તેમને પણ એક જ શ્લોક (સ્થળસંકોચના કારણે) બસ થશે : यदिविषयपिशाची निर्गता देहगेहात् सपदि यदि विशीणों मोहनिद्रातिरेकः । यदि युवतिकरके निर्ममत्वं प्रपन्नो झटिति ननु विधेहि ब्रह्मवीथीविहारम् ॥ અહીંયાં થોડાક ફેરફાર સાથે શ્લોકની છેલ્લી લીટીમાં બ્રહ્મવિહાર શબ્દ સ્પષ્ટ રીતે મળી આવે છે. બ્રહ્મવીથીવિહાર એટલે બ્રહ્મમાર્ગે વિહાર કરવો તે. હવે આપણે શ્લોકનો અર્થ તપાસીએ. શરીરરૂપી ઘરમાંથી વિષયરૂપી ડાકણ જે કાયમને માટે જાય એવો ઉપાય કરવો હોય, જે મોહનિદ્રાની ગાઢ અસરને ભૂંસી નાખવી હોય, જે યુવતીના મોહક દેહને હાડપિંજર સમાન ગણીને આસક્તિરહિત થવું હોય તો હે ભાઈ! તું તુરત બ્રહ્મમાર્ગે વિહાર કર ! બીજી રીતે અર્થ કરીએ તો સાંસારિક પદાથોંમાંથી ગાઢ પ્રીતિ ઊઠી ગઈ હોય તો તે બ્રહ્મમાર્ગે વિહાર કરવા લાયક થયો છે ! ઉમાસ્વાતિની કલ્પના : તત્વાર્થસૂત્ર નામના ઉમાસ્વાતિના ગ્રંથમાં બ્રહ્મ શબ્દનો નકારાત્મક પ્રયોગ (Negative use of the word) અહમ શબ્દ તરીકે જોવામાં આવ્યો છે, તે પણ સૂચક છે. તે ગ્રંથના સાતમા અધ્યાયનું ૧૧મું સૂત્ર આ પ્રમાણે છે: મૈથુનમહિલા એટલે કે મથનપ્રવૃત્તિ તે અબ્રહ્મ. તો અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે મિથુનને અબ્રહ્મ શા માટે કહ્યું? ટૂંકામાં કહીએ તો બ્રહ્મ એટલે સાત્વિક મનોવૃત્તિઓનો સમૂહ અથવા અધ્યાત્મપરાયણ વૃત્તિઓ. આવા બ્રહ્મના પાલનથી અને અનુસરણથી સગુણો વધે છે. બ્રહ્મચર્ય શબ્દ પણ તેટલા માટે જ અને તે પરથી જ આવ્યો લાગે છે. એનાથી વિમુખ થવું એટલે જ અબ્રહ્મ થવું. ઘણુંખર મૈથન એવી ગર્ભે પ્રવૃત્તિ છે કે તેમાં પડવાથી સાધુઓને ખાસ અને ગૃહસ્થાશ્રમીઓને પણ સત્તહાનિ અચૂક થાય છે. આ બધા ઉપરથી એટલું જરૂર ફલિત થાય છે કે બ્રહ્મવિહાર અને બ્રહ્મચર્યપાલનનો નિકટ સંબંધ છે. જૈનદર્શન પ્રમાણે બ્રહ્મચર્યનો ભંગ તો એક મહાન હિંસાનો પ્રકાર ગણાય છે માટે જ બ્રહ્મચર્યને અહિંસાનું એક આવશ્યક અંગ માન્યું છે. જે માણસ આત્માથી કે શ્રેયાર્થી થવા ઇરછતો હોય તેણે મન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy