________________
ઘે ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તરત્નમાલા
પ૯ પુસ્તિકાના અંતમાં શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય દેવમૂર્તિ ઉપાધ્યાયે રચેલી ૨૫ શ્લોકની પ્રશસ્તિ છે. (આ જિનેશ્વરસૂરિ વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં તથા ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા.)
જેસલમેર-ગ્રંથભંડારમાં રહેલી હજી સુધી અપ્રકાશિત આ વૃત્તિનો આદ્યન્ત ભાગ અમે જેસલમેરભંડાર-ગ્રંથ-સૂચી( ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦, પ્ર. સન ૧૯૨૩)માં દર્શાવ્યો છે. તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકત પરિચય(પૃ. ૪૦)માં, જૈનોપદેશગ્રંથોમાં એનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રતિમાં પણ “વિતા વિતપદના ” ગાથા છે, અને તેની વ્યાખ્યામાં મૂલકાર કવિને શ્વેતાંબર-ગુરુ વિમલ જણાવેલ છે.
[૨]
આ પ્રશ્નોત્તર-રત્નમાલાની દષ્ટાંતો સાથે વિવરણરૂપ બીજી વૃત્તિ વિક્રમ સંવત ૧૪૨૯ભાં ચંદ્રગ૭(સકપલ્લીયગ૭)ના દેવેન્દ્રસૂરિએ ૭૭૮૦ શ્લો. પ્રમાણ રચી હતી, જેનું સંશોધન મુનિભદ્રસૂરિએ કર્યું હતું. ૪ આ વૃત્તિકારે અંતમાં પોતાનો પરિચય વિસ્તારથી પ્રશસ્તિમાં આપ્યો છે, તથા જે બે સદ્ગહસ્થોની ભોલા અને ખેતા નામના ભાઈઓની પ્રેરણાથી તેમણે એ વૃત્તિ રચી હતી, તે ઉપકેશજ્ઞાતિના લિગાવંશનો પણ પરિચય પ્રશસ્તિ દ્વારા કરાવ્યો છે. (કેટલાક વિદ્વાને ભૂલથી આ મુનિભદ્રસૂરિને પણ આના વૃત્તિકાર જણાવ્યા છે.) આ વૃત્તિની વિક્રમ સંવત ૧૪૪૧, સં. ૧૪૮૯ અને સં. ૧૫૩૯માં લખાયેલી પ્રાચીન પ્રતિયો પાટણ (. જૈનાચાર્ય જયાનંદસૂરિના ઉપદેશથી પૂછશ્રાવિકાએ લખાવેલ), પૂના (પૂના ડે. કોલેજના સન ૧૮૮૮માં પ્રકટ થયેલા કેટલોગમાં ૧૮૮૧-૮૨ના કલેકશનમાં સૂચિત સં. ૧૬૪) અને પરદેશમાં બલિનના પુસ્તકસંગ્રહમાં વિદ્યમાન છે. ચાણસ્મામાં સંવત ૧૬૪૦ની પ્રતિ છે. આ વૃત્તિને જામનગર-નિવાસી શ્રાવક ૫. હીરાલાલ હંસરાજે સંવત ૧૯૭૧માં છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તે વૃત્તિના અંતમાં પણ મૂળ “વિતા સિતપદપુ ” ૨૯ભી આર્યા જોવામાં આવે છે. તથા તેની વ્યાખ્યામાં શ્વેતાંબરાચાર્ય વિમલસૂરિએ રચેલી તે પ૦ રત્નમાલા જણાવી છે--
व्या० “सितपटाः श्वेताम्बरास्तेषु गुरुः सूरिपदं प्रतिष्ठस्तेन सितपटगुरुणा श्वेताम्बराचार्येण विमलेन विमलनाम्ना सूरिणा विमला गतकल्मषा निर्मला वा रत्नमालेव रचिता विहिता इयं प्रश्नोत्तररत्नमाला कण्ठगता सती गलस्थिता सती पठिता सती कं भविकं न भूषयत्यलंकरोतीत्यर्थः । यथा रत्नमाला गलकन्दलस्था पुमांसं स्त्रियं वा भूषयति, तथ्यमपि प्रश्नोत्तररत्नमाला कण्ठपीठरथा अर्थापत्त्याऽपीता सती नरं नारी वा शृङ्गारयतीत्यार्याऽर्थः ।।
સમાણા જે પ્રશ્નોત્તર નમાણાવૃત્તિ: ” (પં. હી. હં. પ્ર. પૃ. ૫૬૭)
3. "श्रीजिनेश्वरसूरीणां पादाभोजमधुव्रतैः । श्रीदेवमूर्युपाध्यायनिर्मितैषा प्रशस्तिका ॥
દતિ ઘરનોત્તરરત્નમાહ્યાવૃત્તિ, સાધુસમયચંદ્રવિતાયા: પ્રાંતિ: સમાપ્ત ... – જે. . ગ્રંથસૂચી
૪. “તસ્થાનનેન વેરા વિક્રાંત: ] નક્યુમ-પરાફિ-શરદ-પ્રમવારે (૨૪ર૧) / ૨૭// प्रश्नोत्तररत्नमालाया वृत्तिर्विदधे मुदा । शोधिता च लसद्भदैः श्रीमुनिभद्रसूरिभिः ॥ १८॥ युग्मम् "
– પ્રશ્નોત્તરરત્નમાલા સટીકા (પ્ર. પં. હીં. હં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org