SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ નામ આદિ કશાયનો ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં તેમના પછી થયેલ ગ્રન્થકારોએ જે ઉલ્લેખ કર્યા છે, તે જોતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી જ છે. દશાશ્રુતસ્કંધસત્રની નિર્યુક્તિના પ્રારંભમાં નિયુક્તિકાર જણાવે છે કે – वंदामि भद्दबाहु, पाईणं चरिमसगलसुयनाणि । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ।।१।। અર્થત—“પ્રાચીન ગોત્રીય, અંતિમ શ્રુતકેવલી તેમ જ દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહારત્રના પ્રણેતા, મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.” આ જ પ્રમાણેનો ઉલ્લેખ પંચકલ્પની આદિમાં પણ છે. આ બન્નેય ઉલેખો જોતાં, તેમ જ બીજું કઈ પણ બાધક પ્રમાણ ન હોવાથી, સ્પષ્ટ રીતે કહી શકાય કે, “છેદસૂત્રોના નિર્માતા ચતુર્દશપૂર્વધર અંતિમ શ્રુતકેવલી સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી છે અને તેમણે દશા, કપૂ અને વ્યવહાર એ ત્રણ છેદસૂત્રોની રચના કરી છે. આ ઉલ્લેખમાં નિર્યુક્તિરચના કરવાને લગતા તેમ જ તેઓશ્રી “નૈમિત્તિક સ્થવિર” હોવાને લગતો કશોય ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. ઉપર અમે જે ગાથા ટાંકી છે, તેના ઉપર પંચકલ્પ-મહાભાષ્યકારે જે મહાભાષ્ય કર્યું છે, તેમાં પણ નિયુકિતગ્રન્થની રચના કર્યાને લગતો કશોય ઉલ્લેખ નથી. મહાભાષ્યની ગાથાઓ આ નીચે આપવામાં આવે છે – कप्पं ति णामणिप्फण्णं, महत्थं वत्तुकामतो । रिणजूहगस्स भत्तीय, मंगलट्ठाए संथुति ॥१॥ तित्थगरणमोकारो, सत्थस्स तु अाइए समक्खा अो। इह पुण जेणऽज्झयणं, णिज्जूढं तस्स कीरति तु ॥२॥ सत्थाणि मंगलपुरस्सराणि सुहसवणगहणधरणारिण । जम्हा भवंति जंति य, सिस्सपसिस्सेहिं पचयं च ॥३॥ भत्ती य सत्थकत्तरि, तत्तो उगओग गोरवं सत्थे । एएण कारणेणं, कीरइ आदी णमोकारो ॥४॥ ‘वद' अभिवाद थुतीए, सुभसद्दो रोगहा तु परिगीतो। वंदरण पूयण मणं, थुगणं सकारमेगट्ठा ।। ५॥ भदं ति सुंदरं ति य, तुल्लत्यो जत्थ सुंदरा वाहू । सो होति भद्दबाहु, गोण्णं जेणं तु बालत्ते ॥ ६ ॥ पाएण ण लक्खिज्ज इ, पेसलभावो तु बाहुजुयलस्स । उववरणमतो णाम, तस्सेयं भद्दवाहु त्ति ॥७॥ अण्णे वि भद्दबाहु, विसेसरणं गोण्णगहण पाईणं । अण्णेसि पऽविसिढे, विसेसणं चरिमसगलसुतं ॥८ । चरिमो अपच्छिमो खलु, चोद्दसपुव्वा तु होति सगलसुतं । सेसाण वुदासट्टा, सुत्तकरऽज्झयणमेयस्स ॥९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy