SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર પત્રધારા [ ર૬પ ધનમાં એટલી ઊણપ જ રહી જાત. છે અહીં જે પંદરમા સૈકામાં અને તે પછી લખાયેલ તાડપત્રીય ગ્રંથે છે તે તે અશુદ્ધિની દૃષ્ટિએ કાગળની પ્રતોને મહાત કરે તેવા છે. બારમા-તેરમા સૈકામાં જે પ્રતો લખાઈ છે તે બધી દિવ્ય સ્વરૂપી પ્રતિઓ છે. ચૌદમા સૈકામાં કાંઈ ઠીક. છતાં એટલે ઉપકાર કે કેટલાક અલભ્ય ગ્રંથે એ લખાણમાંથી આપણને મળી આવે છે. અત્યારે તો હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો છું. એક એક પોથીમાં સંખ્યાબંધ ગ્રંથનાં પાનાંઓ ભેગાં થઈને બનેલી પોથીઓને મેં વિભાગવાર વહેંચીને ભંડારના સંખ્યાબંધ ગ્રંથને પૂરા કર્યા છે; નહિ ઓળખાતા ગ્રંથને ઓળખી કાઢયા છે; નહિ તપાસાયેલા અને ભ્રામક નામવાળા ગ્રંથનાં સત્ય નામો પારખી કાઢ્યાં છે. સૂર્ય પ્રજ્ઞપ્તિટિપ્પણ નામનું પુસ્તક જોયું ત્યારે શ્રી પાદલિપ્તાચાર્યની જ્યોતિરંટનની વૃત્તિ નીકળી આવી છે, જેને નિર્દેશ શ્રી મલયગિરિજી મ. સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં કરે છે. આજ સુધી એ જાણવામાં આવી નહોતી. એ ગ્રંથ અહીંથી મળેલ છે. અને એ રીતે અનેક ગ્રંથનાં પાનાંઓ, ટુકડાઓ જે નિરુપયોગી દશામાં પડેલાં હતાં તે બધાંયને પુનઃ પોતાના કુટુંબમાં ભેળવીને સોપયોગી બનાવી દેવામાં આવેલા છે. સન્મતિની ટીકા અહીં બારમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલા જેવી અનુમાન દેખાય છે. બેફિકર રહેજો, હું પ્રત્યેક ગ્રંથનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી લઈશ. નહીં તે આખા ગ્રંથેના ફોટોગ્રાફસ લઈને સોંપીશ. તત્ત્વસંગ્રહની પ્રતિ–ીકાસ પ્રતિ-દિવ્ય અહીં છે. તેની સંશોધિત નકલ આપીશ. સાંખ્યતવકૌમુદી વગેરે ગ્રંથો પણ તે જ રીતે કાર્ય કરવા માટે સોંપીશ. આખો ભંડાર દિવ્ય રૂપ છે. હવે તો મારી ઈચ્છા એ જ છે કે, આપણે સત્વર મળીએ અને મહત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સંશાધનસિક મુનિવરનું મંડળ સ્થાપી શકીએ તો ઘણું જ સારું થાય. અત્યારે તો હું આખા ભંડારને વ્યવસ્થિત બનાવી રહ્યો છું. [ “જન' સાપ્તાહિક, તા. અને ૧૮ જૂન, ૧૫૦ ] [૪] મુ. બાલાપુર-મુનિ શ્રી જબુવિ. યોગ્ય............મારું શરીર ઘણું સારું છે અને કામ બરાબર ચાલે છે.... આપ જાણીને રાજી થશો કે અહીંના ભંડારનું પાનું પાનું તપાસી લીધું છે. બધા ગ્રંથોને સરસ રીતે વ્યવસ્થિત કરી દીધાં છે, અને આખું લિસ્ટ રિપોર્ટના સ્વરૂપમાં તૈયાર થઈ ચૂકયું છે. આજે જ પૂર્ણાહુતિ થઈ છે. બે મહિના પુસ્તકોની વ્યવસ્થા-લિસ્ટ પાછળ ગયા છે. હવે બીજું કામ શરૂ કરીશું. ભંડારમાંથી આચાર્ય પાદલિપ્તની તિબ્બરંડક ટીકા મળી છે. સર્વસિદ્ધાન્તપ્રવેશ નામનો ગ્રંથ પદર્શનને મળતો છે. અહીં બે નકલે છે, તેની કોપી કરી રહ્યો છું. એકાદ બે દિવસમાં પૂર્ણ થશે. પ્રમાણુતભવ નામના જૈન ગ્રંથની કોપી પણ કરી લેવાની છે. આપને ઉપયોગી થશે એ દષ્ટિએ જાતે જ કંપી કરવામાં આવે છે. આ સિવાય સાંખ્યસતિકા ઉપર બે નવીન ટીકાઓ મુકિતથી અન્ય પણું મળી આવી છે. તેની નકલ પણ થશે. પ્રતિ એક ૧૧૭૧ ની લખેલી છે અને બીજી પણ એટલી જ્ઞાનાં. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy