SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] htv તરણો જરૂર હશે; પરંતુ અહીં તે આટલેથી જ વિરમું છું. આ અનુકરણે અને અવતરણેએ પણ પ્રસ્તુત કથારત્નકેશ ગ્રંથના સંશોધનમાં વધારાની સહાય કરી છે એટલે એ દષ્ટિએ પણ તે તે અનુકરણ કરનારા અને અવતરણ કરનારા આચાર્યો વિશેષ સ્મરણાર્હ છે. ૭. કથા રત્નકેશના સંશોધન માટેની પ્રતિ –આજે કથાનકોશની એકંદર ત્રણ પ્રતિ વિદ્યમાન છે એમ જાણી શકાયું છે. જે પૈકીની એક પ્રતિ ખંભાતના તાડપત્રીય ભંડારમાં છે, એક પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજ્યજી મહારાજના વડોદરાના વિશાળ જ્ઞાનભંડારમાં છે અને એક ચૂર(મારવાડ)ના તેરાપંથીય જ્ઞાનભંડારમાં છે. આ રીતે આજે જોવા-જાણવામાં આવેલી ત્રણ પ્રતો પૈકી માત્ર ખંભાતના ભંડારની પ્રતિ જ સાવંત પરિપૂર્ણ છે. તે સિવાય પૂજ્ય પ્રવર્તક મહારાજ શ્રીના ભંડારની પ્રતિ એક કાળે સાઘત પરિપૂર્ણ હોવા છતાં અત્યારે એમાંથી આદિમધ્ય-અંતમાંનાં ઘણાં પાનાં ગૂમ થયેલાં હેઈ ખંડિત પ્રતિ છે; જ્યારે ચૂરુના ભંડારની પ્રતિ કાગળ ઉપર લખાયેલી ગ્રંથના ઉત્તરાખંડરૂપ છે. આ ત્રણ પ્રતો પૈકી જે બે અતિ પ્રાચીન તાડપત્રીય પ્રતિઓને મેં મારા પ્રસ્તુત સંશોધનમાં ઉપયોગ કર્યો છે તેને પરિચય આ ઠેકાણે કરાવવામાં આવે છે ખં પ્રતિ–આ પ્રતિ ખંભાતના “શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારને નામે ઓળખાતા પ્રાચીનતમ અને ગૌરવશાલી તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની છે. પ્રતિ અતિસુકોમળ સુંદરતમ શ્રીતાડપત્ર ઉપર સુંદર લિપિથી લખાયેલી છે. એની પત્રસંખ્યા ૩૧૭ છે. તેની દરેક પૂઠીમાં ત્રણ, ચાર કે પાંચ લીટીઓ લખેલી છે. દરેક લીટીમાં ૧૨૭ થી ૧૪૦ લગભગ અક્ષરો છે. એ અક્ષરે ઠેકઠેકાણે નાના-મોટા લખાવા છતાં લિપિનું સૌદર્ય આદિથી અંત સુધી એકસરખું જળવાયેલું છે. પ્રતિની લંબાઈ પહોળાઈ ૩૧૪રા ઈચની છે. પ્રતિ લાંબી હોઈ તેનાં પાનાં સુવ્યવસ્થિત રીતે રહી શકે એ કારણસર દોરો પરોવવા માટે તેના વચમાં બે કાણું પાડી ત્રણ વિભાગમાં લખાયેલી છે. પ્રતિ વિક્રમ સંવત ૧૨૮૬માં લખાયેલી હોવા છતાં તેની સ્થિતિ હજુ જેવી છે તેવી નિરાબાધ છે. પ્રતિ ઘણી જ અશુદ્ધ છે એટલું જ નહિ, પણ એમાં ઘણે ઠેકાણે પંક્તિઓની પંક્તિઓ જેટલા પાઠો પડી ગયા છે, તેમ જ લેખકની લિપિવિષયક અજ્ઞાનતાને લીધે સ્થાન-સ્થાન પર અક્ષરોની ફેરબદલી તથા અસ્તવ્યસ્ત બહુ જ થયેલાં છે. પ્રતિના અંતમાં તેના લખાવનાર પુણ્યવાન આચાર્ય અને શ્રાવકની એકવીસ લેક ક્ટલી લાંબી પ્રશસ્તિ લખેલી હોવા છતાં કઈ ભાગ્યવાને એ પ્રશસ્તિને સદંતર ભૂંસી નાખવાનું પુણ્યકાર્ય ઉપાર્જન કર્યું છે ! તે છતાં એ ઘસી–ભૂંસી નાખેલી પ્રશસ્તિને અતિ પ્રયત્નને અંતે અમે જે રીતે અને જેટલી વાંચી શક્યા છીએ તેટલો ઉતારે આ નીચે આપીએ છીએ: ___ इति प्रव्रज्यार्थचिन्तायां श्रीप्रभप्रभाचन्द्रचरितमुक्तम् । तदुक्तौ च सम्यक्त्वादिपञ्चाशदर्थाधिकारसम्बद्धः कथारत्नकोशोऽपि समाप्तः ॥ छ ॥ छ । छ ॥ मङ्गलं महाश्रीः ॥ शुभं भवतु ।। शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ १॥ छ । ६०३ ॥ छ । संवत् १२८६ वर्षे श्रावण शुदि ३ बुधेऽद्येह प्रह्लादनपुरे कथारत्नकोशपुस्तकमलेखीति भद्रमिति ॥ छ । ॥ छ । छ । ॥ श्रीमद्वीरदृशः पान्तु सुधावृष्टे: सहोदराः । स्त्र भूगर्भशस्यानां फलसम्पत्तिहेतुकम् ॥ १॥ श्रीमत्प्राग्वाटवंशो जगति विजयतेः । ..जगुरुगणनाप्रौढमेधाभिरामः । " •••••••••••••••••ાનામાઇભવાનVIન. ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy