SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રા, આચાર્ય શ્રી વિજય લક્ષ્મણુસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે–હીરવિજય મ. પછી કઈ મહાન જૈનાચાર્ય થયા હોય તે તે વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ હતા. તે પછી વિજયકમળસૂરીશ્વરજી અને ત્યાર પછીના આચાર્ય હોય તે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ છે. શેક ઠરાવ શેઠ દામજીભાઈ જેઠાભાઈએ નીચેને શાક ઠરાવ રજૂ કર્યો હતો. જૈન ધર્મસિદ્ધાંતપ્રવીણ, પ્રખર વિદ્વાન, સચ્ચારિત્રની જ્વલંત પ્રતિમાસ્વરૂપ, શાસન પ્રભાવક, પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મહુવા મુકામે સંવત્ ૨૦૦૫ ની દીપોત્સવીના દિવસે થયેલા સ્વર્ગારોહણથી જૈનસંધ મહાન બેટ અનુભવે છે. જૈન શાસન અને તીર્થોના રક્ષણ તથા ઉદ્ધારાર્થે તેઓશ્રીની અર્ધ શતાબ્દી પર્યન્તની અખંડ અને અણમેલ સેવાઓ આદર્શ માર્ગદર્શનીય, અનુકરણય અને સદૈવ પ્રેરણા સ્વરૂપ બની રહે એમ મુંબઈના જૈનની આ જાહેર સભા ઈચ્છે છે, અને સૂરીશ્વરજીના વિરહ પરત્વે ખેદ પ્રગટ કરે છે.” - આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજે ઉપસંહારમાં શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને અંજલિ આપી હતી. ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. બાદ સભા વિસર્જન થઈ હતી. (શાસન સુધાકર તા. ૧૯-૧૧-૪૯) પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજાને સ્વર્ગવાસ. જૈન સમાજે ગુમાવેલ શાસન સ્તંભ-એ ભવ્યમૂતિ હવે કયાં મળે? એ પ્રભુતામયી સ્થાન હવે કાણું પૂરશે ? (તંત્રી સ્થાનેથી) જૈન સમાજ પૂ. સૂરિસમ્રાટ્ર આચાર્ય દેવેશશ્રીની હયાતિથી પિતાને છત્રવાન માનવામાં મગરૂર હતો. સમાજનું એ છત્ર ૨૦૦૫ની આસો વદ અમાસની કાળરાત્રિએ સાંજના સાત વાગે પોતાના ક્રૂર કરાળ પંજાથી ભરખી લીધું. સમાજને સ્તંભ હણી લીધે ! શાસનને થાંભલે જમીનદોસ્ત કર્યો ! સમાજને નિરાધાર પ્રાયઃ બનાવી દીધે ! સમાજને હવે એ ભવ્ય મૂર્તિ કયાં મળે ? એ અદ્ભુત પ્રતિભાશાળી ભીમકાય ભવ્યમૂર્તિનું પ્રભુતામયી સ્થાન હવે કોણ પૂરશે ? સમાજને પૂ. શાસનસમ્રાટુના વિરહથી કદી ન પૂરાય તેવી ખેટ પડી છે. તેઓ શ્રીમદ્ કાળધર્મ પામ્યાના દુઃખદ સમાચાર શ્રીમહુવા સંઘે સાડી સાતસો તારે કરીને સ્થાને સ્થાને પહોંચાડ્યા હતા. આજે તો એ સમાચાર દરેક પિપરોમાં ઝણઝણી રહ્યા છે. - પાલિતાણા ખાતે અનેક સ્થળે તે દુઃખદ સમાચારના તાર આવતાં શ્રી પાલિતાણા સંઘના નાના મેટા ૮૦ ભાઈએ કા. શુ. ૧ ની સવારે દસ બજે બે મેટર ખટારા દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy