SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ છેડી દેવા તેને ત્યાગ કહે છે; આ પદાર્થોં ઉપરના રાગ શ્રી વીતરાગ જિનેશ્વરદેવને ભાવપૂર્વક ભજવાથી નાશ પામે છે; અને તેમાંથી રાગ્ય જન્મે છે. સકળ જીવલેાના હિતમાં ટૂંકા, સ્વાર્થા, અંગત જીવનને જતુ કરવામાં જ સાચી બુદ્ધિમત્તા હોવાનું સ આસ્તિક દશ નકારે સ્વીકારે છે.” સાહેબે કહ્યુ: “તું સમજદાર છે. પણ તારી આ સમજ સંયમના અતિ કઠીન માગ ઉપર ચાલતી વખતે નહિ ટકે તે તું શું કરીશ ? ' "" “ સાહેબ મારી આ સમજ ઉપલક નથી, પણ દૃઢ પાયાવાળી છે; મારા ગુરુદેવે જે તત્વામૃત મને પાયું છે, તેના પ્રભાવે હું અચિત્ત્વ શક્તિશાળી આત્માને ઓળખીને અપનાવવાની શક્તિવાળા બન્યો છું. હવે જો આ શક્તિને તુચ્છ ઇન્દ્રિયાના વિષયે પાછળ વેડફુ તે મારા જેવા નાદાન બીજે કાણુ ગણાય ? '' શ્રી નેમચંદભાઈના આ જવાબથી સાહેબ દ્વિગ થઈ ગયા; પણ તેમણે તે તેઓશ્રીના. મનને સંસાર તરફ વાળવું હતું. એટલે તે દિશામાં તીર તાકીને. ખેલ્યા : “તારા કુટુંબની સેવા કરવી એ શું તારો ધમ નથી ? ” Jain Education International . ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy