SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી સુખલાલજી એટલું જ નહિ પણ પુસ્તક-સંગ્રહની દષ્ટિએ પણ દિગમ્બર પરંપરાનુ માનસ શ્વેતાંબર પરંપરાના માનસ કરતાં ભારે સંકીણું પ્રથમથી જ રહ્યુ છે. એના પુરાવાએ જૂના વખતથી અત્યારલગીના બન્ને કિકાઓના પુસ્તક-ભંડારાની યાદીમાં પદે પદે નજરે પડે છે. આ બધું હું કોઇ એક પરંપરાના અપકર્ષ કે બીજી પરંપરાના ઉત્કર્ષની દૃષ્ટિએ નથી લખતા કારણ કે મારા આ લખાણમાંથી જે પરંપરા પાતાના ઉત્કર્ષ ફલિત કરી બીજાના અપકર્ષમાં જ રાચવા માગે તે પરંપરાને પણ બીજી ખબતામાં સપ્રમાણુ અપકર્ષ બતાવી શકાય. મારું પ્રસ્તુત લેખન માત્ર સમત્વની દૃષ્ટિએ છે. એમાં ઊણપને ઊણપ માનવા જેટલું સ્થાન છે પણ કોઇ પ્રત્યે અવગણના કે લઘુત્વ-ષ્ટિ પાષવા સ્થાન નથી. ચિરકાલથી પાષાયેલ ફિકાવાસિત માનસને બદલવાનું કામ નદીના પ્રવાહને બદલવા જેવું એક રીતે અઘરું છે તેમ છતાં એ અશક્ય નથી. વમાન સમયના વિદ્યા અને જિજ્ઞાસાનાં મળેા ઇષ્ટ દિશામાં પૂર જોશથી પ્રેરી રહ્યાં છે. જે કા` ભારે ભાગ આપ્યા પછી અગર ખàા વાળી ન શકાય એવી હાનિ ઊઠાવ્યા પછી કરવું જ પડે તે કામ પ્રથમથી ચેતી વખતસર કરવામાં આવે તે એમાં મનુષ્યત્વની શેાભા છે. હું એમ માનું છું કે એક પણ ક્ષણના વિલખ કર્યા સિવાય સ્થાનકવાસી ક્રિકાએ પાતાની ગત ભૂલા સુધારી આગળ વધવું જોઇએ અને હું એમ પણ માનું છું કે સમ તેમજ નિય શુદ્ધવિદ્યોપાસક દિગ ંબર વિદ્વાનાએ વારસાગત માનસ બદલી દિગબર જ કાયમ રહ્યા છતાં વીરપરંપરાને પ્રમાણમાં વિશેષ અને અખંડપણે વ્યક્ત કરનાર આગમિક તેમજ પંચાંગી સાહિત્યનુ અવલેાકન કરી તેને પોતાની પરપરાના સાહિત્ય સાથે મેળ બેસાડવા અગર તે દ્વારા પેાતાના સાહિત્યની વૃતિ કરવી. એમ ન કરતાં જેમ તેઓ અત્યારલગી એકદેશીય રહ્યા છે તેમ રહેશે તે તેમને વાસ્તે કોઇ વ્યાપક કે સાર્વજનિક ક્ષેત્રમાં વીરપરંપરાના પ્રતિનિધિ તરીકે ભાગ્યે જ સ્થાન રહેશે. એ દૃષ્ટિએ વિદ્વાને અને ઐતિહાસિકેામાં તેમની પ્રતિષ્ઠા ભાગ્યે જ બધાશે. શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વરને કોઇ અ ંતઃસ્ફુરણા એવી થઇ કે તેમનુ જિજ્ઞાસુ માનસ સ્થાનકવાસી ક્રિકાના અલ્પમાત્ર આગમિક સાહિત્યમાં સંતુષ્ટ રહી ન શક્યું. તેએ ઇચ્છત તે સ્થાનકવાસી ક્રિકેા છેડી દિગંબર ક્રિકાને અપનાવી, તેમાં પણ તેટલી જ પ્રતિષ્ઠા મેળવી કાંઇક વધારે પ્રમાણમાં જિજ્ઞાસા સતાષી, વિદ્યોપાસનાદ્વારા વીરપર પરાનું સમર્થન કરી શકત; પણ મને એમ લાગે છે કે એ સૂરિના ભવ્ય અને નિર્ભય આત્મામાં કોઇ એવા ધ્વનિ ઊચ્ચો કે તેણે તેમને વીરપરંપરાનુ અપેક્ષાકૃત અખંડ પ્રતિનિધિત્વ ધરાવનાર ફ્રિકા તરફ જ ધકેલ્યા અને આપણે જોઇએ છીએ કે એમણે જિંદગીનાં ઘેાડાં વર્ષોમાં ખાસ કરી છેલ્લા ભાગનાં અમુક જ વર્ષોમાં આખું જૈન સાહિત્ય મથી નાખ્યું, તેમાંથી નવનીત તારવ્યું જે તેમના જ શબ્દોમાં વિદ્યમાન છે. શતાબ્દિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only * ૧૬૭ * www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy