SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતા આત્મારામજી મહારાજ અને શ્રી મેહનલાલજી મહારાજ આત્મારામજી મહારાજને જ્યારે આવા ઉગ્ર વાતાવરણની ખબર પડી ત્યારે તેમણે મુંબઈને સંઘના આગેવાનોને કહેવરાવ્યું કે શ્રી મેહનલાલજી મહારાજ આ વિષે જેમ કહે તેમ માર્ગ કાઢવો. આથી તે વખતના સંઘના આગેવાનો શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વિગેરે સામાન્ય જનતાને કાબુમાં રાખીને મેહનલાલજી મહારાજ પાસે આવ્યા અને હવે આ સંબંધમાં શું કરવું ? તે પૂછયું. પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે દરિયાપાર જવા માટે શ્રી વિરચંદ ગાંધીએ જિતેંદ્ર પ્રભુની એક સ્નાત્રપૂજા ભણાવવી. સૌએ આ ફેંસલાને વધાવી લીધો અને એ રીતે ઉગ્ર વાતાવરણ શાંત પડયું. - સંવત્ ૧૫૩ ના જેઠ વદિ ૮ ના પ્રભાતે શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગગમનના સમાચાર ચારે તરફ ફરી વળ્યા. આ દુઃખદ ખબરથી દરેક ગામના શ્રી સંઘમાં શેક અને ગ્લાનિની કાલીમા છવાઈ ગઈ. તે સમયે શ્રી મેહનલાલજી મહારાજ વાલકેશ્વર ઉપર શ્રી ચુનીલાલ સાંકળચંદનાં બંગલામાં બિરાજતા હતા. તેમણે જ્યારે આ ખેદજનક સમાચાર સાંભળ્યા ત્યારે ગગદિત કંઠે કહ્યું કે: “જેનશાસનનો એક મહાન સ્થંભ આજે આપણી વચ્ચેથી અદશ્ય થયા છે. મારી જમણી ભુજા ગઈ હોય તેવું મને જણાય છે.” એ કહેતાંની સાથે જ તેમણે મંડળીને કહ્યું કે-“આહારપાણ પછી કરાશે પણ પહેલાં શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગગમનના દેવ વાદીએ.” એ ક્રિયા સમાપ્ત થયા બાદ તારથી ખબર મળ્યા કે વિરોધીઓએ શ્રી આત્મારામજી મહારાજ માટે ખેટી અફવા ફેલાવી હતી અને તેના પરિણામે તપાસ કરવા માટે તેમના દેહની રક્ષા ( ૧ખ્યા ) ને સરકારી અમલદારોએ અટકાવેલ છે. આ ખબર મળતાં શ્રી મોહનલાલજી મહારાજે આગેવાન ગૃહસ્થને ભેગા કર્યા અને તત્કાળ તે કાર્યના નિવારણુથે એક ફંડ કરાવ્યું જેમાં તે જ વખતે ૫-૭ આગેવાનેમાંથી લગભગ રૂા. ૩૦૦૦૦ થઈ ગયા. તે ફંડ કરવાની સાથે મુંબઈમાંથી મેટા પ્રમાણમાં પંજાબના આગેવાન સરકારી અફસર ઉપર આત્મારામજી મહારાજની નિર્દોષતા જાહેર કરતા હજારે તારે કરાવ્યા. છેવટે વિરોધીઓનું કંઈ પણ ચાલ્યું નહીં અને તે પ્રસંગ શાન્તિથી ઉકલી ગયે. આ મહાપુરુષોનું અરસપરસ આવું ઉચ્ચ વર્તન જો દષ્ટિ સન્મુખ રાખીને વર્તવામાં આવે તો આજે જૈન સમાજમાં ચાલી રહેલા અનેક ઝગડાએ એક ક્ષણ પણ ટકી શકે ખરા કે? : ૪ર : [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy