SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પન્યાસ શ્રી રિદ્ધિમુનિજી તના આગેવાન ગૃહસ્થ ત્યાં ગયા અને મેહનલાલજી મહારાજને સુરત પધારવા વિનંતિ કરી. પ્રત્યુત્તરમાં શ્રી મોહનલાલજી મહારાજે કહ્યું કે --- 'मैं जब उस प्रदेशमें आउंगा तब देखंगा।' શ્રીમદ્દ આત્મારામજી મહારાજ મારવાડ તરફ વિહાર કરતાં ધોલેરામાં પધારેલા. તે જ અરસામાં શ્રી મેહનલાલજી મહારાજ ત્યાં આવવાના સમાચાર જાણુને શ્રી આત્મારામજી મહારાજે છેલેરાના સંઘને ખાસ પ્રેરણા કરીને મોહનલાલજી મહારાજનું ધામધૂમપૂર્વક સામૈયું કરાવ્યું અને તેમને લેવા માટે ઉપાધ્યાય વીરવિજયજી, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજ આદિને સામા પણ મોકલ્યા. તેમ જ અન્યા ને વંદન-વ્યવહાર પણ જાળવ્યું હતું. અત્રે વિષયાંતર કરીને પણ તે સમયે બની ગયેલ બીજી ઘટનાને જણાવવી યોગ્ય લાગે છે. શ્રી મોહનલાલજી મહારાજ બૅલેરાથી શ્રી આત્મારામજી મહારાજથી જુદા પડીને પાલીતાણે પધાર્યા અને ખૂબ હર્ષ પૂર્વક સિદ્ધગિરિજીની યાત્રા કરી. તે અરસામાં તેમના સાંભળવામાં આવ્યું કે ભાવનગરમાં અત્યારે શ્રીમાન્ વૃદ્ધિચંદ્રજી મહારાજ ખૂબ બીમાર છે. તે ખબર જાણતાં શ્રી મોહનલાલજી મહારાજે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને મળવાના ઇરાદાથી ભાવનગર તરફ વિહાર કર્યો. એ ખબર શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને મળતાં તેમણે ત્યાંના સંઘના આગેવાનોને ખાસ સૂચના કરીને શ્રી મોહનલાલજી મહારાજનું ખૂબ ધામધૂમપૂર્વક સામૈયું કરાવ્યું અને તેની સાથે પંન્યાસ શ્રી ગંભીરવિજયજી આદિ મુનિઓને લેવા માટે સામા મોકલ્યા. એ રીતે તે કાળના બને મહાપુરુષ એક બીજાને આનંદપૂર્વક કોઈ પણ જાતના સંકેચ વિના મળ્યા. આ બધી ઘટનાઓમાં તે મહાપુરુષોની અન્યાન્ય પ્રત્યેની ઉદારદષ્ટિ, ગચ્છના મમત્વથી રહિતપણું અને નિર્દોષ સરળતા તેમના પ્રત્યેક વ્યવહારમાં જણાઈ આવે છે. તેમની આવી મહત્તાથી જ આજે સમગ્ર જૈન સમાજને તેમના પ્રત્યે અપૂર્વ માન છે, કેમકે તેમનામાં મારા-તારાપણા કરતાં શાસનની દાઝ અને સમાન મહાપુરુષોની સાથે મળતાપણું–સૌજન્ય-એ મુખ્યત્વે જોઈ શકાય છે. શ્રીમદ્દ આત્મારામજી મહારાજની આજ્ઞાથી અમેરિકાની સર્વ ધર્મ પરિષદમાં હાજરી આપીને–ત્યાં જૈનધર્મને સુંદર પ્રચાર કરીને-સ્વ. વીરચંદ રાઘવજી ગાંધી સુરતમાં જ પાછા ફરેલા. તે વખતના મુંબઈનું માનસ અત્યારના કરતાં તદ્દન જુદા જ પ્રકારનું વર્તતું હતું, અર્થાત્ કે ગમે તે કારણે પણ યૂરોપ જનાર ધર્મથી ભ્રષ્ટ થઈ જ જાય એવી માન્યતાનાં મૂળ ઊંડાં ગયાં હતાં અને તેથી શ્રી વીરચંદભાઈના યુરોપ-ગમન માટે લોકોમાં ખુબ ઊહાપોહ થઈ રહ્યો હતો. સૌ પોતપોતાનો અભિપ્રાય દર્શાવતા હતા. એકંદર તે વખતનું મુંબઇનું વાતાવરણ ઉકળાટભરેલું હતું. તે સમયે શ્રી મેહનલાલજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા. શ્રી શતાબ્દિ ગ્રંથ ] : ૪૧ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy