SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. પિપટલાલ પુંજાભાઈ શાહ કેટલી ય અરાજકતા એની મેળે નાશી જાય. આત્મારામજીની ઈચ્છાશક્તિ, નિરધારપાલન અને કઠણ વિનયરક્ષા જે આજ હોય તો જૈનશાસનમાંથી, શ્રાવકે સાધુને પંપાળે અને સાધુઓ શ્રાવકને પંપાળે એ લાચાર સ્થિતિ પલટાઈ જઈ જેનશાસનનાં તેજ ઔર ઝળહળી ઊઠે. બાબૂજી પોતે જ કહે છે કે – મને તો મહારાજજીની નિશ્ચયાત્મકતા જોઈ બહુ જ આનંદ થયો. આવા નિશ્ચયબળવાળા અને શ્રીમતિની પરવાહ નહિ રાખનાર મુનિનાં દર્શન ખરેખર વિરલ હોય છે. અમારી લાગવગથી કે ભક્તિથી ચલિત થઈ જાય તે મુનિએ શું પરાક્રમ કરી શકે ? મને તો આત્મા રામજીનું નિશ્ચયબળ જઈને બહુ જ સંતોષ થયો છે. મુનિઓના આચારવિચાર માટે તે ખૂબ જ કડક રહે છે, એટલું જ નહિ પણ પિતાને વંદણું કરવા આવનારમાં પણ પિતે એટલી જ સંયમની-ખાનપાનની-કડકાઈ ઈચ્છે છે અને વ્યવસ્થા કરે છે. આજ વાંદવા આવતા મહેમાન અને સાધુઓને એમનું વ્યક્તિત્વ સ્પષ્ટ કહી રહ્યું છે કે – “વાંદવા આવે તેને માટે કે મહેમાનો માટે સાદું દાળ, રોટીનું જ ભેજન જોઈએ.” વચનની કિસ્મત, જે બેલાય તે પળવું જ જોઈએ એવો આગ્રહ પણ તેમનામાં એટલે જ તીવ્ર છે, અને એમાં પણ સ્પષ્ટતા તરી આવે છે. ગુરુજી ના પાડશે એમ માનીને ઈચ્છા નહિ છતાં, ચોમાસાની હા પાડનાર એમના સરલ શિષ્ય મુનિશ્રી હર્ષવિજયજીને પોતે કહે છે કે – જે એવું હતું તે પહેલા હા કહેવી નહોતી. બોલતાં પહેલાં વિચાર કેમ ન કર્યો? તમે ઘેઘાના ગૃહસ્થને જે વચન આપ્યું છે તે પાળવું જ જોઈએ. હવે બીજી વાર વચન કાઢતાં પહેલાં વિચાર કરજે. તમારા શબ્દની તમે પોતે કંઈ કિસ્મત ન આંક તો બીજાની પાસે તો એની કુટી બદામ પણ કિસ્મત ન અંકાય.” પિતાની વચનગુપ્તિની કેટલી કિસ્મત ? એની કેટલી સબળ અને સફળ રક્ષા? જેટલી શબ્દની કિસ્મત એટલી વ્યક્તિત્વની પ્રતિભા, એ સૂત્રને જીવનમાં ઉતારવા માટે વચનગુપ્તિની સંભાળ રાખવાની અને રખાવવાની કેવી પ્રચંડ ઉઘોષણા ? આપણે એમની છબીનાં દર્શન કર્યા, આપણને એમની પ્રકૃતિની અને આત્મસ્વભાવની ઝાંખી પણ થઈ ગઈ અને સાથે સાથે એમના અક્ષરદેહમાંથી પણ થોડુંક દર્શન આપણે કરી લીધું. હવે એમના વિચાર-વ્યક્તિત્વનાં દર્શન કરવા એમના અક્ષરદેહને શોધીને તેમાંથી થોડુંક જ જાણીએ. જેનદર્શન અને જૈનશાસન માટે જ એમનું જીવન છે એ આપણે જોઈએ છીએ. જેનદર્શનને એ પોતે “ષ દર્શન જિન અંગ ભણુજે” એમ કહીને સવ દર્શનનો સરવાળો માને છે અને એમાં પિતે સ્યાદ્વાદ લીનો આશ્રય લઈને આબાદ સફળ નીવડે છે. શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy