SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય છે કે તેમણે પ્રથમ પ્રબોધચિંતામણિની રચના કરી હશે અને ત્યાર પછી ત્રિભુવનદીપક પ્રબંધ ની રચના કરી હશે. પ્રબોધચિંતામણિ ની રચના વિ.સં. ૧૪૬૨ માં ખંભાતનગરમાં કરેલી છે. એટલે ત્રિભુવનદીપક પ્રબોધની રચના ત્યારપછીના તરતના કાળમાં થઈ હશે એમ માનવામાં આવે છે. એમની આ બન્ને કૃતિઓને બાહ્ય દષ્ટિએ તપાસતાં એટલું તરત દેખાય છે કે પ્રબોધચિંતામણિ સાત અધિકારની અંદર લખાયેલી સુદીર્ધ કૃતિ છે. જયારે ત્રિભુવનદીપક પ્રબંધ ૪૩૨ જેટલી કડીમાં લખાયેલી, પ્રબોધચિંતામણિ કરતાં નાની કૃતિ છે. કવિને એક જ વિષયની બે કૃતિઓની રચના કરવાની શી જરૂર પડી ?- એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એ વિશે પણ કોઈ સ્પષ્ટ નિર્દેશ એ બેમાંથી કોઈ પણ કૃતિમાં થયો નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે સંસ્કૃત ભાષામાં લખેલી પ્રબોધચિંતામણિ નામની કૃતિ વિદ્વજનોમાં અને સંસ્કૃતના જાણકાર લોકોમાં, એની સુંદર રૂપકગ્રંથિ ને કારણે એટલી લોકપ્રિય થઈ ગઈ હશે કે સામાન્ય જનોની ઇચ્છાને સંતોષવા માટે કવિએ ગુજરાતીમાં આ કૃતિની રચના કરી હશે. કવિ જયશેખરસૂરિએ પ્રબોધચિંતામણિ ની રચના પછી ત્રિભુવનદીપક પ્રબંઘ ની રચના કરી છે. અન્ય સંદર્ભો જોતાં સ્પષ્ટ જણાય છે. તેમ છતાં એ નોંધવું જોઇએ કે ત્રિભુવનદીપક પ્રબંધ માં કયાંય પ્રબંધચિંતામણિ નો નિર્દેશ જયશેખરસૂરિએ કર્યો નથી. શ્રી જયશેખરસૂરિએ ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરતી વખતે પોતાની પ્રબોધચિંતામણિ કૃતિને સતત નજર સામે રાખી હશે અથવા પોતાનું જ સર્જન હોવાને કારણે સહજ રીતે પોતાની નજર સામે તે રહી હશે. એમ એ બન્ને કૃતિઓની અનેક પંકિતઓ સરખાવતાં જણાય છે. નીચેની પંકિતઓ સરખાવવાથી આ વાતની તરત પ્રતીતિ થશે. સરખાવો :* मानसे निर्मलऽस्ताधे विमुक्तविषयान्तर : । માનસ સરિજા નિર્મલઇ કરાઇ તુહલ હંસુ ; હંતુ તે નિં તત્ યાતુ સરસ્વતી ? || ૬૬-૬ // તાં સરસતિ રંગિ રહઇ, જોગી જાણઈ ડંસું. ૨ चर्व्यमाणा भृशं सर्वे रसा वैरस्यमाप्नुयु । સેવતાં સવિરા વરસ ઇકકઇકિક જોઇ; शान्तस्तु सेवितोऽत्यन्तं मोक्षावधि सुखप्रद : ।।२४-१॥ નવમક જિમ જિમ સેવીયઇ, તિમતિમ મીઠઉ હોઈ. ૭ आत्मज्ञानजुषां ज्वराधपगमो दूरे जरा राक्षसी। નાગ નિરુપમ નાણ નિરુપમ જગહ ઉહયારુ; प्रतयासीदति लब्धिसिद्धि-निवहो ज्ञानं समुन्मीलति । ઘટુ ભિન્તરિ નિર્મલઉ જાસુ નામિ સવિ રોગ નાઇ; મનનોડામવેડ િવ વિષય: ચાતુ પુષ્ય-પક્ષયો જર-રખસિ વેગલી સયલ સિદ્રિ નિવસંતિ પાસઇ; ત્વિાર્ષષ્ટિ તેવ વત્નમિદં ધું યતä તd : // ૪૧-૨ // પુણ્ય-પાપ બે ભવ લઇ દીસઇ મુખ દૂયારુ; સાવધાન તે સંભલઉ હરથિઈ હંસ વિચારુ. ૮ जंतुधाते भुषावाचि परद्रव्ये परस्त्रियाम्। તિથિ વાહિલ મન ત્રિભુવનિ, ભમઇ ભાગઉંસમાધિ *જુઓ : અહીં પ્રબોધચિંતામણિ ની લોકસંખ્યા આરક્ષિત પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી છપાયેલા ગ્રંથને આધારે આપી છે. તથા ત્રિભુવનદીપક પ્રબંધ ની કડીની સંખ્યા પંડિત લાલચંદ ગાંધીનાં સંપાદનને આધારે આપી છે. ત્રિભવન દીપક પ્રબંધ ૨૦૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy