SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્થચંદ્રગચ્છની ઐતિહાસિક ભૂમિકા આલેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ મહાન ક્રિયોદ્ધારક, આચાર શુદ્ધિના પ્રખર પુરસ્કર્તા યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીની પાટપરંપરા આજે પાર્જચંદ્રગચ્છના નામે ઓળખાય છે. અને વર્તમાન શ્રમણસંઘમાં સહુથી નાના ગચ્છનું સ્થાન શોભાવે છે. અન્ય સર્વ ગચ્છોની જેમ એણે એકથી વધુ વાર નામાંતર ધારણ કર્યા છે. એનું પ્રાચીન નામ વડગચ્છ, પછી વડ તપગચ્છ, પછી નાગોરી તપાગચ્છ અને શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીના સમય બાદ જનતાએ “પાર્થચંદ્રગણ્ય' નામ આપ્યું. પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલીમાં શ્રમણ ભગવાન મહાવીરથી પાટસંખ્યા ગણવામાં આવી છે. વર્તમાન ચાર ગચ્છની પટ્ટાવલીમાં આવનારું છેલ્લું સમાન નામ (નજીવા ફેરફાર સાથે) શ્રી વિમલચંદ્રસૂરિનું છે અને તે આ ગચ્છની પટ્ટાવલીમાં ૩૬મા ક્રમાંકે આવે છે. પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલી અનુસાર બારમી પાટે આવતા શ્રી સુસ્થિતસૂરિ સુધી શ્રમણો ‘નિર્ઝન્થ” નામથી ઓળખાતા. શ્રી સુસ્થિતસૂરિએ સૂરિમંત્રનો એક ક્રોડ વાર જાપ કરેલો તેથી તેમને “કોટિક' બિરૂદ મળ્યું. તેમનો પરિવાર કોટિકગચ્છ કહેવાયો. આગળ પંદરમા પટ્ટધર શ્રી વજસ્વામીથી ‘વજી શાખા શરૂ થઈ અને તેમના શિષ્ય ચંદ્રસૂરિથી “ચાંદ્ર' કુળનો પ્રારંભ થયો. અઢારમા પટ્ટધર શ્રી સામંતભદ્રસૂરિ વનમાં વિશેષ રહેતા, તેથી “વનવાસી' કહેવાયા, તેથી તેમના પરિવારને “વનવાસીગચ્છ' નામ મળ્યું. અહીં સ્મરણમાં રહે કે આ સમયે અન્ય કેટલાંયે કુળ, ગણ કે શાખાઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં, જે કાળક્રમે ક્ષીણ થઈ ગયાં. ૩૪મા પટ્ટધર શ્રી ઉદ્યોતનસૂરિ મહાન વિદ્વાન, જ્યોતિષનિષ્ણાત અને સમર્થ હતા. સં. ૯૯૪માં આબુ ઉપર વિશાળ વટવૃક્ષ નીચે પોતાના ૮ શિષ્યોને તેમણે આચાર્ય પદ આપ્યું. એ આચાર્યોનો શિષ્ય સમુદાય “વડગચ્છ” અથવા “બૃહદ્ગચ્છ' રૂપે પ્રસિદ્ધ થયો. ઈતિહાસપ્રસિદ્ધ, મહાન ગ્રંથકાર, મહાન તાર્કિક અને વાદવિજેતા શ્રી વાદિદેવસૂરિ પાર્જચંદ્રગચ્છની પટ્ટાવલીમાં ૪૪મા સ્થાને આવે છે. “પ્રમાણનય-તત્ત્વાલક” અને તેના ઉપર “સ્યાદ્વાદ રત્નાકર' નામક મહાકાય ટીકાના રચયિતા તથા દિગંબર વિદ્વાન શ્રી કુમુદચંદ્રને સિદ્ધરાજ જયસિંહની સભામાં વાદમાં પરાજિત કરનાર આ આચાર્યશ્રી વિજ્જગતમાં સુપ્રસિદ્ધ છે. તેમણે ૨૪ શિષ્યોને આચાર્ય પદ આપ્યું હતું. તેઓશ્રીની શિષ્ય પરંપરા બૃહદ્ ગચ્છ, ભિન્નમાલ વડગચ્છ, મડાલ્ડંગચ્છ, જીરાપલ્લી વડગચ્છ, નાગોરી તપાગચ્છ વગેરે કેટલીયે શાખાઓમાં ફેલાઈ. નાગોરના મહારાજા આ©ણદેવ શ્રી વાદિદેવસૂરિ પ્રત્યે અતિ બહુમાન ધરાવતા હતા. શ્રી વાદિદેવસૂરિના પ્રથમ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિની તપશ્ચર્યાથી પ્રભાવિત નાગોરના રાણાએ તેમને “તપા' (તપસ્વી) બિરૂદ આપ્યું. આમ, શ્રી પદ્મપ્રભસૂરિ એ નાગોરી તપાગચ્છના આદ્યપુરુષ છે. એમની શિષ્ય પરંપરા “બૃહત્તપા' ગચ્છના નામે પ્રસિદ્ધ થયા પછી, જ્યારે સં. ૧૨૮૫માં આ શ્રી જગશ્ચંદ્રસૂરિને પણ ‘તપા' બિરૂદ મળ્યું ત્યારે એ તપાગચ્છથી પૃથક્ દર્શાવવા માટે “બૃહત્તપા'ની સાથે નાગોરી-નાગપુરીય’ શબ્દ જોડવામાં આવ્યો હશે એવું અનુમાન થઈ શકે છે. સં. ૧૧૭૭માં સ્થપાયેલા આ નાગપુરીય બૃહત્ તપાગચ્છ વિક્રમની ૧૬મી સદી પછી પાર્જચંદ્રગચ્છ રૂપે પુનઃ પ્રસ્થાપિત થયો, ત્યાર પછી પણ તેની એક શાખા ‘નાગપુરીય તપાગચ્છ' એ નામે થોડા સમય સુધી ચાલતી રહી હતી. સંક્ષિપ્ત પટ્ટાવલી : ૪૪મી પાટ સુધી ફક્ત નામાવલી અને ત્યાર પછી સંક્ષિપ્ત નોંધ સાથે નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી સંઘસૌરભ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy