SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉત્ત્તીણ લેખેા મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભાજક મહાતી ઉજયન્તગિરિના અદ્યાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પદ્માદિ લેખા વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચના સમેત વિસ્તારથી કહીશું. સન ૧૯૭૩ તથા પુનઃ સત ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્યંત પુના મિંદરાનાં કરેલાં સર્વેક્ષણા દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવિધ અજ્ઞાત અભિલેખા સાંપ્રત લેખમાં વિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત અતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણુ અનુસાર ઉજયન્ત પત-ગિરનારગિરિ -ઉત્તર મધ્યકાળ સુધી તા કેવળ જૈન તીર્થ જ રહ્યો હૈઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખા જૈન દેવાલયો અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખેાથી પશુ એ પરિસ્થિતિમાં કશે! ક્ પડતા નથી. ગિરનાર પરના થાડાક લેખાની (વાચના (લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટોડ દ્વારા પ્રાથમિક પશુ અત્યંત સંદિગ્ધ, ભેળસેળીયા અને ગડબડગોટાળાયુક્ત નાંધ લેવાઈ છે. (ટાડે જેની સહાયતાથી આ લેખ વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંખી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આર્ભકાળે અનભિજ્ઞ લેાકેા પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ઢોડે તે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટાંડની તૈાંધા પર બિલકુલ ઈતખાર રાખી શકાય તેમ નથી. ટોડ પછી પૂ. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીથ નાયક જિન નેમિનાથના મંદિરના (એમના કથન અનુસાર) દક્ષિણુ દ્વાર અંદરના સ, ૧૧૭૬/ઈ. સ. ૧૧૨૦ના લેખ પર વાચના દીધા સિવાય ઘેાડી શી ચર્ચા કરી છે, જો કે આવા સમર્થ વિદ્વાન પણ પ્રસ્તુત લેખને ન તા સારી રીતે વાંચી શકયા છે કે ન તા તેનું હાર્દ સમજી શકષા છે. (આ સંબંધમાં અમે આ ગ્રન્થમાં જ આના પછી આવતા લેખમાં ચર્ચા કરી છે.) ઈન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારના મદિરા આવરી લેતા સર્વેક્ષણુ-અહેવાલમાં વસ્તુપાળના સં. ૧૨૮૯/ઈ.સ. ૧૨૩૧-૩૨ની મિતીના છ પ્રશસ્તિ લેખામાં એક, તે ઉપરાંત શાણુરાજની પ્રશસ્તિના અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખા પ્રગટ કર્યાં છેક : પણ ખજેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખાના પાઠામાં વાચના દેષા (અને અર્થ સમજવામાં ક્ષતિ રહી ગયાં છે; શાણુરાજની પ્રશસ્તિનેા યથાકાળ જ્ઞાત ન થવાથી તેના અર્થઘટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબધિ ઐતિહાસિક તારવણીએ દોરવામાં, બન્નેસ જથ્થર ભૂલ થાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણુથી થયેલી દિગ્બાન્તિમાંથી પછીના વિદ્વાનોએ મહદશે મુક્તિ મેળવી લીધી છે. ૪) તત્ પશ્ચાત્ બસ અને કજિન્સે એમનાં મુંબઈ મહાપ્રાન્તના પ્રાચ્યાવશેષોની બૃહસૂચિ ગ્રંથમાં આગળના બર્જેસે આપ્યા છે તે (કયાંક કયાંક પાડાન્તર છે), અને તેરેક જેટલા બીન લેખા પણુ સમાવી લીધેલા,૫ આ પછી દત્તાત્રય ડિસકળકરે કાર્ડિઆવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orient. alistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે), જેમાં ખજેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખા અતિરિકત અન્ય ચારેક નવીન લેખેાનાં વાચના એવં ભાવા આપ્યાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy