SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પુષ્પાંજલિ શ્રમણ સંસ્થાએ સંઘરત્ન ગુમાવ્યું છે. મૂર્ધન્યકક્ષાની વિદ્વત્તા ધરાવતા, ઉત્કૃષ્ટશીલવંતા પંડિતજી સેંકડો વિદ્યાર્થી શ્રમણશ્રમણીઓએ ગુમાવ્યા છે. ૨૨ વ્યાકરણ-તત્ત્વાર્થસૂત્ર આદિ અનેક ગ્રંથો તેમણે આત્મસાત્ કર્યા હતા. સમગ્ર જૈનસંઘના પંડિતોમાં તેઓ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને આચારસંપન્ન હતા. સેંકડો સાધુ-સાધ્વીજીને તેમણે ભણાવ્યા એથી તેમણે એટલું વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું, જેથી તેમનું મૃત્યુ મંગલમય બન્યું છે. પરલોકમાં તેમનો જન્મ જિનશાસનની સુશ્રાવિકાની કૂખે થયો હશે અથવા દેવલોકે મહર્દિક દેવ બનીને નંદીશ્વરાદિતીર્થોની યાત્રાઓમાં વિચરતો હશે. તેમના અઢળક સુકૃતોની ખૂબ ખૂબ અનુમોદના. પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ.સા. પંડિતવર્યશ્રી છબીલભાઈએ છેવટ સુધી જ્ઞાનદાનનું મહાન કર્તવ્ય બજાવ્યું. એમનો જૈનશ્રુતજ્ઞાન પ્રત્યેનો અનન્ય પ્રેમ-અહોભાવ એમના જીવનમાં સતત નીતરતો દેખાયો છે. અનેકાનેક મુમુક્ષુ ભવ્યાત્માઓને પોતે પામેલા શ્રુતજ્ઞાનનું રસપાન કરાવી ભવોભવ ન ભૂલાય એવો એ સહુ પર ઉપકાર કર્યો છે અને એ દ્વારા જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે. એમ કલ્પના થઈ જાય કે ભવિષ્યમાં તેઓને માત્ર જૈનશાસન નહીં પણ વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી યુક્ત જૈનશાસન પ્રાપ્ત થશે. એમની ધર્મશ્રદ્ધા, જ્ઞાનભક્તિ, સ૨ળસ્વભાવ, સહાયકવૃત્તિ વગેરે ગુણો પરિવારને ઉપકારક થાય એવી શુભેચ્છા સહ એમના આત્માના શીઘ્ર સિદ્ધિગમનની પ્રભુને પ્રાર્થના. પૂ. પં. અજિતશેખરવિજયજી મ.સા. પૂજયશ્રી છબીલદાસજીએ ૬૫ વરસથી ચતુર્વિધ શ્રીસંઘને જ્ઞાનોપાસનામાં એમને જે રીતે જોડ્યા છે તે ખૂબ જ અનુમોદનીય છે. આવા અનુમોદનીય પ્રસંગોની યાદ તે તે વ્યક્તિઓના ગુણો, અનુમોદક પુણ્યાત્મામાં ઉતરે આ જ સાચી ભાવશ્રદ્ધાંજલિ છે અને માનવભવની સફળતા છે. પૂ. પં. નંદીભૂષણ વિ. મ.સા. પંડિતજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને ખરેખર અફસોસ થયો. હા...વૈરાગ્ય પ્રેરક જિનવાણીથી મૃત્યુ અવશ્યભાવી છે તે સાંભળીને મન ને વાળી લેવું તે એકવાત છે. પરંતુ જ્યારે આજના કળિયુગમાં નવા વિદ્વાન પંડિતો થવાનું પ્રમાણ નહીંવત્ છે તેવા સંજોગોમાં સારા નિષ્ણાત પંડિતની ચિરવિદાય જૈનશાસનને ઘણો આઘાત પહોંચાડે છે. ઘણાં વર્ષો પહેલાં હુ પંડિતજીને ખંભાતમાં મળ્યો હતો. કેશવલાલ બુલાખીદાસ વગેરેનો પરિચય હતો. ત્યારથી ઘણીવાર અવારનવાર સભાઓ વગેરેમાં મળવા-કરવાનો અવસર આવતો. મને પણ તેઓ સારી રીતે ઓળખતા હતા. અને હું પણ પંડિતજીથી સારીરીતે સુપેરે પરિચિત હતો. તેમની વ્યાકરણ તેમજ કર્મગ્રન્થના શાસ્ત્રોમાં ગતિ ઘણી ઊંડી હતી. ધણાં સાધુ-સાધ્વીજીઓને ભણાવવાનો લાભ તેમણે લીધો છે. ખરેખર તેઓ ધન્ય છે. પંડિતજીના જવાથી જૈનશાસનને ઘણી મોટી ખોટ પડી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy