SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ) www w worો મr R. "ી ગok Now - Meik r« to R રાનપુ ચીમનલાલ સંઘવી (સારા લેખક) પં.શ્રી શાંતિલાલ ખેમચંદ, શ્રી મહીપતભાઈ આદિને તૈયાર કરેલા, તેની સાથે સાથે સંસ્થામાં ચાલુ અભ્યાસ કરતા ઉચ્ચ અભ્યાસીઓ જેવા કે... ગોરધનદાસ માસ્તર, શ્રી હરગોવિંદદાસ, પં.શ્રી શિવલાલભાઈ,પં. શ્રી છબીલદાસભાઈ, પં.શ્રી પુખરાજજી, પં.શ્રી કપૂરચંદભાઈ, પં.શ્રી રિખવચંદભાઈ, પં.શ્રી કાંતિલાલ ભૂધરભાઈ, પં.શ્રી ગુણવંતભાઈ, પં. શ્રી લહેરચંદ કેશરીચંદ, પં.શ્રી જેચંદભાઈ વિ.ને તૈયાર કરવામાં સારી રીતે મહેનત લીધી, અને તેમના વરદ-હસ્તે તૈયાર થયેલાઓમાંથી પણ આજે જે સારા વિદ્વાનો નજરે પડે છે જેમ કે... ૫. શ્રી કાંતિલાલ નગીનદાસ,પ્રજ્ઞાચક્ષુશ્રી મોતીલાલ માસ્તર, પં.શ્રી ધીરૂભાઈ, પં.શ્રી રસિકભાઈ, પં.શ્રી માણેકલાલ, પં.શ્રી લાલચંદભાઈ, પં.શ્રી વસંતભાઈ દોશી, પં. શ્રી વસંતભાઈ શાહ. પં.શ્રી ચંદ્રકાંતભાઈ, પં.શ્રી રમણીભાઈ, પં.શ્રી ગુણવંતભાઈ. ઉપરોક્ત બધા પંડિતવર્યો પ.પૂ. પ્રભુદાસભાઈના વારસારૂપ છે. અને તેઓ સર્વ જૈન સંઘમાં સમ્યજ્ઞાનનું દાન ઉત્તમોત્તમ કરે છે. એ પાકેલાં બધાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનાં અણમોલ રત્નો છે. પૂ. પ્રભુદાસભાઈની અધ્યાપન કરાવવાની અજોડ કળા હતી. સાથે ભારે જ મહેનત લઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણાને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવવામાં તેઓશ્રીનો મહાન ફાળો છે. તેઓશ્રીએ ૬૦ વર્ષ પહેલાં લખેલ પંચપ્રતિક્રમણ સૂત્ર સાથે ખાસ સ્વાધ્યાય કરવા જેવું છે. જેનું હમણાં પુનઃ પ્રકાશન થયું છે તેમજ પ.પૂ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબે જનતામાં આર્ય સંસ્કૃતિના ખ્યાલ માટે પ્રકાશિત કરાવ્યું છે તે વાંચવા ખાસ વિનંતી. શ્રી પ્રભુદાસભાઈ પાસે ધન ન હતું પણ સમ્યગુજ્ઞાન ધન એટલું હતું કે ક્યાંય અને ક્યારેય દીનતાથી રહ્યા નથી. ખમીર અને કુશળતાથી જીવ્યા છે. તેઓશ્રીનો પરિવાર....ધર્મપત્ની શ્રી દિવાળીબેન, પાંચ પુત્રો શ્રી હિંમતભાઈ, બાબુભાઈ, હસમુખભાઈ, કેશુભાઈ, વસંતભાઈ, પુત્રવધૂઓ પણ તેઓશ્રીની આર્થિક સંકડામણમાં નિરપેક્ષભાવે સહકારરૂપ હતા. આ પ્રમાણે પૂ. પ્રભુદાસભાઈ ધર્મપરાયણ, દઢશ્રદ્ધાળુ, દીર્ધદ્રષ્ટા, તત્ત્વચિંતક, શાસનરાગી, વિશ્વહિતચિંતક, મહાવિદ્વત્તાસભર પુરૂષ હતા. તેઓશ્રીને કોટિ વંદન હો... (શ્રીમદ્દ યશોવિજય જૈન સંસ્કૃત પાક્શાળા શતાબ્દી ગ્રન્થનાઆધારે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy