SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચમું : અર્થવ્યવસ્થા પૈસા વગર પગલુંય આગળ ન ભરાય : ધરવ્યવહાર ચલાવવા હોય કે જાહેર સંસ્થા ચલાવવી હાય, પૈસાની પહેલી જરૂર પડે. તેમાંય આર્થિક સગવડ વગરના સમાજના યુવાનાને ઉચ્ચ કેળવણીનાં જુદાં જુદાં ક્ષેત્રામાં આગળ વધારવા હોય તે એમાં તેા પુષ્કળ પૈસા જોઈએ; અને તે પણ સંધમાં સંસ્થા પ્રત્યે આત્મીયતાની ભાવના અને ઉદારતા જગાવીને એની પાસેથી માગીને મેળવવાના : ભારે મુશ્કેલ અને મન સ કાચાઈ જાય એવું કામ ! પણ એ કામ કર્યે જ છૂટકા હતા. વિદ્યાલયના સંચાલકે સંસ્થાની નાણાકીય જરૂરિયાત પૂરેપૂરી સમજતા હતા. તેથી જ તો એના પહેલા જ વર્ષના રિપોર્ટ (પૃ. ૨૬)માં વિદ્યાલયના ઓનરરી સેક્રેટરી શ્રી મેાતીચંદભાઈ એ કહ્યુ` હતુ` કે— જેટલી જરૂર મુકામની છે તેટલી જ સ્થાયી ક્રૂડની છે. પરચુરણ ટુંક વખતની મદદ ઉપર તેા સમયને લઈને જ આધાર રાખવા પડયો છે. મેટા યુદ્ધના સમયમાં સારી રકમ એટલી મેાટી થાય કે જેના વ્યાજમાં આ સંસ્થા ચાલી શકે તે જરા મુશ્કેલ જણાયાથી વાર્ષિક મદદનાં વચન પરના માનનીય વિશ્વાસ પર સંસ્થા શરૂ કરી છે. અનુકૂળતાએ એક સ્થાયી કુંડ લગભગ ચાર લાખનું આ સંસ્થાના હાથ નીચે થવાની જરૂર છે.” "" સંસ્થા પાસે જોઈતું સ્થાયી ફંડ એકત્ર થાય અને એ રીતે સસ્થા આર્થિક રીતે સધ્ધર અને પગભર થાય તેા સંચાલકે સંસ્થાના વિકાસ તરફે વધારે ધ્યાન આપી શકે, એ વાત બિલકુલ સાચી હતી; પણ સ્થાયી ફ્રેંડ કરતાંય સૌથી પહેલી જરૂર મકાનની હતી, તેથી સ ંસ્થાના સંચાલકાનુ` બધું ધ્યાન પહેલાં એ તરફ કેન્દ્રિત થાય એ સ્વાભાવિક હતું. એટલે તત્કાળ સ્થાયી ફડ કરવાના વિચાર મેાફ રાખીને દસ વર્ષ સુધીની વાર્ષિક મદનાં જે વચના મળ્યાં હતાં, અને દર વર્ષે છૂટક જે કંઈ મદદ મળતી રહેતી હતી, એને આધારે સંચાલકાએ સંસ્થાનું કામ આગળ વધારવાનું મુનાસિબ માન્યું. આ સંચાલક એવા તે ધ્યેયનિષ્ઠ અને એકર’ગી હતા કે, તેઓ પૈસા માટે સતત ચિ'તા અને પ્રયત્ન કરતા રહેતા છતાં, પૈસા વગર કામ કેમ ચાલશે કે હવે શુ' કરીશું', એવી મૂંઝવણુ એમને કયારેય અનુભવવી પડી ન હતી. કેટલાકની તેા આર્થિક શક્તિ પણ ઘણી સારી હતી, અને સેવાભાવની અને કાર્યનિષ્ઠાની સૌની સંપત્તિ તે અપાર હતી. સાથે સાથે સંસ્થાના આદ્યપ્રેરક મુનિવર અને એમના સાથી મુનિરાજોની એમને ખૂબ હૂંફ હતી. તેએ સંસ્થાને માટે શ્રીસંધને સતત જાગૃત રાખતા અને સંસ્થાને સહાય મળે એવા એક પણ અવસર ચૂકતા નહી'. પૂજય મુનિ શ્રી વલ્લભવિજયજી પજાખ જેટલે દૂર રહ્યા રહ્યા પણ સંસ્થાની આર્થિક સ્થિતિ માટે કેટલી ચિંતા સેવતા હતા તે એમના વિ. સ. ૧૯૮૦ના વૈશાખ માસમાં ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy