SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ પ્રથ “ જવા દે....આ ચર્ચા....” અને યુગમાડુ પાછા નિદ્રાધીન ખની ગયા. પણ મઢનરેખાનું ચિત્ત વિચારના ઘેરા વમળમાં ઘેરાઈ ગયું. ૧૭૨ એ વિચારતી હતી: શા માટે મણિરથભાઈ ગઈ કાલે મને નખશિખ નિહાળતા હશે ? કોઈ દિવસ નહિ અને હમણાં હમણાં જ એમના બ પ્રેમ આટલે બધા સજાગ શાને કારણ બન્યા છે? આ તા સાવ ભલા–ભેાળા છે. એમને તે જગતમાં કયાંય અનિષ્ટ અનાચાર નહિ દેખાય. પણ શુભ તત્ત્વા સાથે અશુભ તત્ત્વ પણ ધરતી ઉપર રમતાં હાય છે એ સત્ય પ્રત્યે આંખમીચામણા તે ન જ થઈ શકે. વળી પાછા એ કહેતા હતા કે દેવાનેય ઈર્ષ્યા આવે એવું દામ્પત્ય છે!” એના અથ એ જ કે એમને અમારા સુખી દાંપત્યની ઈર્ષ્યા આવે છે. એમના અંતરમાં એ ઈર્ષ્યાઅદેખાઈને અગ્નિ પ્રજવળે છે! તેા એ અગ્નિને ઠારવા શી રીતે? એક જ વૃક્ષની એ ડાળમાંથી એક ડાળ સળગી ઊઠે તેા એ અન્યને દઝાડયા વગર રહે ખરી ? પણ આ વેદના મારે કાને જણાવવી ? પતિને કહું તેા કદાચ એ એને મારુ સ્રીસહજ મિથ્યાભિમાન ગણી હસી કાઢશે અથવા મારી એવી શ'કાશીલ દૃષ્ટિના ઉપહાસ-તિરસ્કાર કરશે. ન કહું અને ધારો કે પરિણામ અણુધાયુ આવે તે ?....કામવાસનાને આતશ મચ્છુને વધારે બેશરમ અને મરણિયા પ્રયાસ કરવા તત્પર બનાવી મૂકે તો ? અને આને વધુ વિચાર કરતાં એના અંગે અંગે પ્રસ્વેદ પ્રસરી રહ્યો....એ હતી જ મદનરેખા—મદન એનાથી દૂર ન જઈ શકે એવી સૌદર્યવતી નારી ! અને અમ ગળ આશકાના આવેશમાં એ પેાતાની સ્નેહમૂતિને વધારે જોરથી વળથી પડી. એણે ઊંઘવા પ્રયત્ન કર્યાં, પણ એનાં નેત્રા ન જ સીંચાયાં. યુગબાહુના દેહને એ કયાંય સુધી પપાળી રહી. “ દેહ પ્રત્યેની મમતા આટલી બધી શાને ?”–એને આત્મા પતિના આત્મામાં એકરૂપ બનીને જાણે એને પ્રશ્ન પૂછી રહ્યો. સાચી વાત છે. એ મમત્વ જ આટલી વેદના પ્રગટાવે છે. તે પાછી શાંત બની ગઈ. પ્રભાત થયું. સ્નાનવિધિ પતાવી એણે યુગઞાહુની ચરણરજ લીધી. પતિને આશ્ચય થયું. એણે પૂછ્યું : “ આ શું ? ” “ મારે હવે આ રજ કરતાં પણ વધારે નહિવત્ બનવું છે ! ” એનાથી ખેલાઈ ગયું. જાણે કોઈ અસ’ગત પ્રલાપ સાંભળતા હોય એમ યુગબાહુ હસી પડયો. એટલામાં તે। મહેલને એક ચાકિયાત આવીને યુગમાહુની સમક્ષ માથું નમાવી ઊભો રહ્યોઃ “ મેાટાભાઈ આપને યાદ કરે છે. મદનરેખા ચમકી. જાણે યમદૂત આવ્યે હાય એમ એના પગમાં ધ્રુજારી આવી. “ એ નહિ આવી શકે ! ” એણે સંભળાવી દીધું. “ જેવી આજ્ઞા....પણ કારણું........” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy