SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સ્થાપના અને શરૂઆત ૧૧ પ્રથમ હમેને અમરચંદ પિ. પરમારના કાગળથી સમાચાર મળ્યા હતા કે “અત્રે શ્રીસંઘની એક જૈન કોલેજ ખોલવાની મરજી થઈ છે અને તેના ફંડને માટે ગોઠવણ પણ થવા લાગી છે, તેવું માલમ પડયું છે.” આ વાત વાંચી હમારા દિલમાં એટલે ઉત્સાહ પેદા થયું હતું કે તે જ્ઞાની મહારાજજી જાને છે; પરંતુ હવે તે વિચાર પરિપૂર્ણ કરી હમારા ઉત્સાહને વૃદ્ધિ કરે તથા જૈન ધર્મને ઝાડે ફરકાવશે. આપના જેવા નરરત્ન શ્રીસંધમાં વિદ્યમાન છે, જે ધારે તે કરી શકે એમ છે, માટે આ કામ પૂરું કરી જ્ઞાનવૃદ્ધિ કરી જૈન ધર્મના અસલ તો પ્રકાશ કરશે, એ જ વારંવાર હમારું કહેવું તથા લખવું છે.” (“આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, પૃ. ૩૭) જૈન સંઘમાં જ્ઞાનોપાસનાની અભિવૃદ્ધિ થાય એ માટે આચાર્યશ્રીની ઝંખના કેટલી તીવ્ર હતી તે આ ઉપરથી પણ સમજી શકાય છે. પરંતુ, કમનસીબે, આચાર્ય મહારાજશ્રી પિતાના આ મનોરથોને મૂર્ત કરવાને સક્રિય પ્રયત્ન કરે તે પહેલાં જ, વિ. સં. ૧૫૩ (ગુજરાતી ૧૯૫૨)ના જેઠ સુદ ૭ની પાછલી રાત્રે, ગુજરાનવાલામાં, તેઓને સ્વર્ગવાસ થયે; અને જ્ઞાનવિસ્તારના એમના મનર અધૂરા રહી ગયા ! પરંતુ કાળધર્મ પામવાની થોડીક ક્ષણો પહેલાં જ, મુનિશ્રી વલ્લભવિજયજી, જેઓ આચાર્યશ્રીના શિષ્યના પ્રશિષ્ય થતા હતા, અને જેમના ઉપર આત્મારામજી મહારાજને અપાર હેત અને શાસનના ઉજજવળ ભાવી માટે અખૂટ આશા-શ્રદ્ધા હતી, એમની સાથેના અંતિમ વાર્તાલાપમાં પણ આચાર્ય મહારાજે સરસ્વતી-મંદિરો ઊભાં કરવાની પિતાની ભાવનાનું પુનરુચારણ કર્યું હતું. આ પ્રસંગનું વર્ણન કરતાં “નવયુગનિર્માતા” પુસ્તક (પૃ. ૪૧૧)માં કહેવામાં આવ્યું છે કે તમને સૌને મારું છેલ્લું નિવેદન એ જ છે કે મારાં અધુરાં રહેલા કામ તમે પૂરાં કરવાને પૂરેપૂરે પ્રયત્ન કરે અને આપસમાં સુમેળ રાખજે ..........કેટલીક ક્ષણે પછી એમણે અખેિ ઉઘાડી અને સામે બેઠેલા સાધુઓ તથા શ્રાવક તરફ તજર નાખી; અને આ સેવકને બોલાવીને કહ્યું: “વલલભ ! લુધિયાનામાં થયેલી વાત યાદ છે?' મેં રૂંધાયેલા રે જવાબ આપે : “હા ગુરુદેવ, બરાબર યાદ છે ?” ગુરુદેવે કહ્યું : “એનું પૂરેપૂરું ધ્યાન રાખજે, જ્ઞાન વિના લકે ધર્મને નહીં સમજી શકે.” “બહુ સારું ગુરુદેવ!' પરંતુ હું આટલું કહી શકો એટલામાં તે “ ભાઈ, હવે અમે રવાના થઈએ છીએ અને સૌને ખમાવીએ છીએ; ૩ૐ અર્હન'–એટલું કહીને તેઓ સદાને માટે અંતર્ધાન થઈ ગયા!” યુગદ્રા તિર્ધરનું જીવન સાઠે વર્ષે સંકેલાઈ ગયું ! પણ એમની આ ઝંખનામાં વિદ્યાલય જેવાં સરસ્વતી મંદિરની સ્થાપનાનાં ચેતનવંતાં બીજે છુપાયાં હતાં. એ બજેમાં કર્તવ્યનિષ્ઠાનાં ખાતર-પાણી નાખીને શ્રી આત્મારામજીના મહારાજના વિદ્યાવિસ્તારના મને રથને સફળ બનાવનાર સમર્થ સંદેશવાહકની પ્રેરણાની જૈન સંઘ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યો. | [૪] યુગદ્રષ્ટાના સંદેશવાહક વીરભૂમિ પંજાબની વિભૂતિએ સેવેલા સરસ્વતી મંદિરની સ્થાપનાના મનોરથને પૂરા કરવાને કળશ ગરવી ગૂર્જર ભૂમિની વિભૂતિને માથે હેળાવાને હતે. સૂરિપ્રવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy