SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ વિદ્યાલયની વિકાસકથા દનના સમન્વય કરીને એને સાર ગ્રહણ કરવાને માર્ગ દર્શાવનાર અનેકાંતષ્ટિની ઊડી સમજૂતી પણ મેળવી હતી, એટલે મુનિ વલ્લભવિજયજી એક ફિરકાના ધર્મગુરુ મટીને માનવસમાજના લેાકગુરુ ખની ગયા હતા. પેાતાના ગુરુપદને આવું વ્યાપક, ઉદાર અને સહિતકારી બનાવવાથી મુનિ વલ્લભવિજયજી શિખા, મુસલમાન અને અન્ય જૈનેતર વર્ગોને પેાતા તરફ આકષી શકયા અને સદાચરણની પ્રેરણા આપી શકયા એ તે ખરું જ, પણ એથીય વધારે મહત્ત્વની વાત તે એ થઈ કે જિનપ્રતિમા અને જિનવાણીને પંજાબમાં પુનરુદ્ધાર કરવા માટે જે સ્થાનક માગી ફિરકાની સામે પૂજ્ય આત્મારામજી મહારાજને ઘણું કામ કરવુ' પડયુ' હતું અને પેાતાને પણ એમાં સાથ પુરાવવા પડચો હતા એ જ સ્થાનકમાગી ફિકામાંથી મુનિ શ્રી વલ્લભવિજયજી સામેના અણગમેા અને વિરાધ શમી ગયા હતા, એટલું જ નહિ એ ફ્રિકાના અનુયાયીએ પણ એમના આદર કરતા અને એમની ધ વાણી ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક સાંભળતા થયા હતા. આ પ્રતાપ મુનિ શ્રી વલ્લભવિજયજીની સમતા, નિમ`ળ સાધુતા અને નિ`શ મનેાવૃત્તિના હતા. કયારેક સંજોગેાના બળે કાઈની સામે થઈને કામ કરવું પડે તેાપણુ એને! ડંખ મનમાં ન રાખીએ, અને આવા કામની પાછળની દૃષ્ટિ પણ અંગત સ્વાર્થ કે માનની નહી' પણ લેાકકલ્યાણી જ હાય તે · દિલભર દિલ’ના સિદ્ધાંત મુજખ આપણી ભલી લાગણીની અસર સામાના અંતર ઉપર થયા વગર ન રહે : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનું જીવન આ સિદ્ધાંતની સચ્ચાઈના જ્વલંત પુરાવારૂપ છે. ધ સાધનાને પ્રતાપે જેમના જીવનમાં સમતા, સરળતા સહિતકામના, સહૃદયતા અને સાધુતાના ઉદય થયા હાય એ જ પાતે એક ફિરકાના ધર્મગુરુ હોવા છતાં, ખુમારીપૂર્વક પેાતાની જાતને માટે કહી શકે કે “ હું ન જૈન છું ન બૌદ્ધ, ન વૈષ્ણુવ છું ન શૈવ, ન હિંદુ છું ન મુસલમાન. હું. તા વીતરાગ દેવ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળા એક માનવી છું; યાત્રાળુ છું; આજે સૌ શાંતિની ચાહના કરે છે; પરંતુ શાંતિની શેાધ તા સૌથી પહેલાં પેાતાના મનમાં જ થવી જોઈએ.” આ રીતે સૌને પેાતાના માનીને મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ ખાદ ૧૩ વર્ષ સુધી પંજાખમાં વિચર્યાં, અને પંજામ શ્રીસંઘને સાચવવાની દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવાની સાથે પ ંજાખની અઢારે વર્ણની જનતાના ગુરુ અન્યા. પંજાબમાં આટલા લાંખા સમય સુધીની સ્થિરતા દરમ્યાન જિનમંદિરાની તથા પાઠશાળાઓની સ્થાપના, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા, શિક્ષણપ્રચાર, ધર્મપ્રરૂપણા, પજાબ સંધનું સૉંગઠન તથા સાહિત્યના મહિમા પુનઃસ્થાપન કરવા માટે વલ્લભવિજયજી મહારાજે જે કામ કર્યું તેથી પંજાબના જૈન સંધ ખૂબ પ્રભાવશાળી બન્યા, અને મુનિશ્રીનું વ્યક્તિત્વ પણ વિશેષ પ્રભાવશાળી અત્યુ'. મુનિશ્રીની આટલી બધી જહેમતને પ્રતાપે પ’જામ શ્રીસ'ધ ખૂબ સંગઠિત, શક્તિશાળી અને ધશ્રદ્ધામાં દૃઢ થયેા. ગુજરાતમાં જન્મેલ મહાપુરુષે ૫ જામને જ જાણે પેાતાની ક બ્યભૂમિ બનાવી દીધું હતું. * આચાર્યાંશ્રીના ૮૪મા જન્મદિન નિમિત્તે, મુંબઈની ૭૩ જેટલી સંસ્થાઓ તરફથી શ્રી એસ. કું. પાટીલના પ્રમુખ્યપદે યેાજાયેલ સમાર્`ભ પ્રસ ંગે આપેલ પ્રવચનમાંથી. (‘આદર્શો જીવન’, પૃ. ૯૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy