SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૬: વિદ્યાલયની શાખાઓ મુંબઈમાં સારવાર લેતા હોઈને, એ સમારંભમાં હાજર નહોતા રહી શક્યા. પણ સહુને ઉમેદ હતી કે તેઓ છેડા વખતમાં સાજા થઈ જશે. મુંબઈમાં એમની તબિયત ધીમે ધીમે સુધરતી હોવાના પણ સમાચાર મળતા રહેતા હતા. પણ એવામાં એમની બીમારીઓ સાવ અણધાર્યો પલટો લીધે, અને માત્ર ૫૫ વર્ષની ઉંમરે તા. ૨૦-૭-૬રના રોજ મુંબઈમાં જ એમને સ્વર્ગવાસ થયે! આપણી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સના કાર્યમાં પણ તેઓ હમેશાં ઉમંગપૂર્વક સક્રિય ભાગ લેતા રહેતા હતા. કૉન્ફરન્સને ઈતિહાસ એમણે લખ્યો હતો. તેઓની સાહિત્યરુચિ જાણીતી હતી. એમણે વીર દયાળદાસ, શત્રુંજદ્ધારક સમરસિંહ જેવી નવલકથાઓ લખી હતી; અને સમાજસુધારાની લાગણીથી પ્રેરાઈને એમણે સંખ્યાબંધ લેખે લખ્યા હતા. વિદ્યાથીઓ પ્રત્યે એમને ખૂબ મમતા હતી. એમની પરગજુ અને પ્રેમાળ પ્રકતિને કારણે એમનો એડીવ ઘણે વિશાળ હતા. એમની કાર્યકશળતા અને સુજનતાની સુવાસ ચોમેર ફેલાયેલી હતી. વડેદરાના જૈનસંધની તેમ જ ત્યાંની પ્રજાની દરેક સેવાપ્રવૃત્તિમાં શ્રી નાગરકુમારભાઈ હમેશાં મોખરે રહેતા. શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપનામાં, એ આશ્રમ વિદ્યાલયને સુંપાવી વડોદરામાં વિદ્યાલયની શાખા શરૂ કરાવવામાં અને આ શાખાનું કુશળતાપૂર્વક સુવ્યવસ્થિત સંચાલન કરવામાં શ્રી નાગકુમારભાઈએ જે ફાળો આપે હતું તે અમૂલ્ય અને એમના સેવાપરાયણ જીવનની યશકલગીરૂપ બની રહે એવે છે. એમના અકાળ અવસાનથી વિદ્યાલયની વડેદરા-શાખાને ન પૂરી શકાય એવી ખોટ પડી છે; એટલે એમના સ્વર્ગવાસની નેંધ આ સ્થાને જ લેવી ઉચિત માની છે. ૫૦મા વર્ષમાં (તથા બાવનમાં વર્ષમાં પણ) આ શાખા માટેની સ્થાનિક કમિટી નીચે મુજબ છે – શ્રી જસુભાઈ મણિલાલ શાહ , મંત્રીઓ શ્રી રસિકલાલ છગનલાલ શાહ શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરી શ્રી લાલરાંદ ભાઈલાલ શાહ શ્રી ચીમનલાલ છગનલાલ શાહ શ્રી કાંતિલાલ ચીમનલાલ શાહ વલભ વિદ્યાનગર (આણંદ) શાખાની તૈયારી વિદ્યાલયને મુખ્ય ઉદ્દેશ બને તેટલા વધુ વિદ્યાર્થીઓને વિદ્યાલયનો લાભ મળે એ જ રહ્યો છે. અને વિદ્યાલયના સંચાલકે આ ઉદ્દેશને પાર પાડવા માટે હરહંમેશ દિલ દઈને પ્રયત્ન કરતા રહે છે. વિદ્યાલયના કાર્યવાહકે એ સામાન્ય રીતે એવું ધેરણ સ્વીકાર્યું છે કે જ્યાં યુનિવર્સિટી હોય ત્યાં વિદ્યાલયની શાખા સ્થાપવાના શક્ય પ્રયત્ન કરવા. આણંદ પાસે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી જ મૂળ વઢવાણ શહેરના વતની અને ઘણાં વર્ષોથી આણંદમાં રહેતા ધર્મભાવનાશીલ શ્રીયુત મણિલાલ નરસીદાસ દેશીને એમ લાગ્યા કરતું હતું કે વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાલયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy