SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથી આણંદજીને તેમ જ મુંબઈમાંથી શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાને (એક જ કુટુંબના બે ધર્માનુરાગી અને વિદ્યાસેવી મહાનુભાવેનો) ગ્રંથસંગ્રહ વિદ્યાલયને ભેટ મળે છે. અને વિદ્યાલય પ્રત્યેની સમાજની મમતા અને લેકલાગણીના આ મંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યે જોધપુરનાં એક ધર્માનુરાગી બહેને ! આ અંગે વિદ્યાલયના પચાસમાં રિપિટ (પૃ. ૧૯)માં યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે – “જોધપુરનાં એક ભાવનાશીલ બહેનનું અંતર આપણું જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે જાગી ઊઠયું. અને એમણે પોતાની જિંદગી દરમિયાન થોડું થોડું કરીને બચાવેલી રૂ. ૬,૦૦૦ની રકમ વિદ્યાલયને, કોઈ પણ જાતની નામનાની કામના કે શરત વિના, ભાવપૂર્વક ભેટ આપી. આ રકમનો ઉપયોગ, એ ભાવનાશીલ બહેનની ભાવના મુજબ, સંસ્થાની સહાયથી અભ્યાસ કરતા અને વિશેષ સહાયની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને લોન સ્કોલરશિપ રૂપે સહાય આપવામાં થશે. પોતાના સર્વસ્વ સમી આ રકમની આવી હૃદયસ્પર્શી સખાવત કરનાર એ બહેને આ યોજના સાથે પોતાનું નામ જોડવાની કે પોતાનું નામ જાહેર કરવાની પણ ના પાડી છે. આ બીના એ બહેનની સાચી ધર્મભાવના, વિદ્યાર્થીઓ પ્રત્યેની મમતા અને દાનમાર્ગની સાચી સમજણનું સૂચન કરવા સાથે એમના પ્રત્યે આંતરિક બહુમાન જન્માવે એવી છે. અનામી સખાવતનું આ સત્કાર્ય બીજાઓને માટે ભારે અનુમોદનીય અને અનુકરણીય બની રહે તેવું છે.” - વિદ્યાલય પ્રત્યેની સમાજની ચાહના અને ભક્તિના પ્રતીકરૂપ આ તે થોડાક પ્રસંગે ઉપર નેંધ્યા છે. શોધવા નીકળીએ તો આવા સંખ્યાબંધ પ્રસંગે મળી આવે એમ છે. સમાજની આ મમતા જ વિદ્યાલયની સાચી શક્તિ અને સનાતન સંપત્તિ છે. એને પ્રતાપે જ વિદ્યાલય પાસે લાખોની સ્થાવર મિલકત એકત્ર થઈ શકી છે, જરૂરિયાત પ્રમાણેની જંગમ મિલકત એને સમાજ તરફથી હમેશાં સમયસર મળતી રહી છે, વિદ્યાલય વ્યવસ્થિત અને નિશ્ચિંત રીતે પ્રગતિ સાધી શકયું છે, અને વિદ્યાલયની અર્થવ્યવસ્થા સુસ્થિર થઈ શકી છે. D D D D D D D D D D D D D D D D m તન-મન-ધનથી સહકાર આપો “ જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ તે વખત કરતાં અત્યારે અધ્યયનની ભૂખ વધી ગઈ છે. આજે તો આ સંસ્થાના જેવી સો સંસ્થાઓ હોય તો એકસો એકમી સંસ્થાની જરૂર સમાજને લાગવાની જ. જે વ્યક્તિઓ શક્તિશાળી છે, એમની એ ફરજ છે કે સંસ્થા ફળ-ફૂલે અને વિકાસ સાધે એટલા માટે એને તન-મનધનથી પોતાનો સહકાર આપે.” –પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી (પચાસ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમદાવાદ-શાખામાં તા. ૬-૬-૧૫ના રોજ આપેલ પ્રવચનમાંથી) I m D D D D D D D D D D D D D D D D D D D D Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy