SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકો (અર્થાત્ સંસ્થાનુ` મારા ઉપર ધણું ઋણ છે—અમુક હજાર રૂપિયા કરતાં ઘણું વધી જાય એવું એ ઋણ છે. . હું ઇચ્છુ છુ કે નજીકના ભવિષ્યમાં જ હું મારું દેવું ચૂકતે કરવા ઉપરાંત કઈક વધુ રકમ આપવા શક્તિશાળી બનું. ) “ ડૅ. જૈનની સંસ્કારિતા માત્ર આર્થિક ઋણ અદા કરવા પૂરતી નથી; પણ તે અદા કરવા પાછળની ભાવના પણ નોંધપાત્ર છે. માત્ર ચાર જ વર્ષોંમાં લેાન ભરપાઈ કરવા છતાં તેએ લખે છેઃ— “ My only regret is that I could not make it earlier.” ( મને એ વાતના ર્જ થાય છે કે હું આ દેવું વહેલું ચૂકવી ન શકયો!) વળી એમણે માત્ર પૈસા માકલીને જ સતેષ માની લીધેા નથી; પરંતુ સંસ્થા દિન પ્રતિદિન વિશેષ પ્રગતિ સાધે અને એ વિકાસમાં તે પણ પેાતાનાથી બનતા ફાળેશ નોંધાવે એવી શુભ ભાવના વ્યક્ત કરતાં તેએ લખે છેઃ— "India is striding a head and it is quite proper for me to think that our institution too has its plans to further its achievements in the service of the community......please feel free to write if I could beof any service to the institution." ( અર્થાત્-ભારત આગેકદમ કરી રહ્યું છે; અને મને એવી ભાવના થાય એ સર્વથા ઉચિત છે કે આપણી સંસ્થાએ પણ સમાજની સેવા માટે એની સિદ્ધિએને આગળ વધારવાની યેાજના કરી હાય. જો હું સ ંસ્થાની કોઈ પણ રીતે સેવા કરી શકું એમ આપને લાગે તે આપ કૃપા કરી મને વિના સકાયે લખશે।. ) સામાન્ય રીતે અવસાન પામેલ વિદ્યાથી પાસે બાકી રહેતી લેાન વસૂલ કરવા માટે દબાણ કરવામાં આવતું નથી. આમ છતાં કેટલાક પ્રસ`ગેામાં એવા વિદ્યાથી એનાં ભાવનાશીલ સગાંઓ, આપમેળે, પેાતાની નૈતિક ફરજ સમજીને, લેાન રિફંડ કરવા પ્રેરાય છે. વિદ્યાલયના ૩૪મા અને ૩૫મા વર્ષ (૩૪મેા રિપેટ : પૃ. ૧૪)માં અનુક્રમે શ્રી જેસી ગલાલ દલસુખભાઈ શેઠ તથા ડૉ. ઉમેદચંદ વાલજી દેસાઈનું અવસાન થતાં, એમની પાસે લેણી પડતી લેાનની રકમ એમનાં સગાંઓએ ચૂકવી આપી હતી. આ ઉપરથી જોઈ શકાશે કે લેાનની યાજના કેટલી સફળ નીવડી છે ! એણે વિદ્યાથીએમાં સસ્થા પ્રત્યે આત્મીયતાની લાગણી જન્માવવામાં કેટલે આગળ પડતા ભાગ ભજળ્યે છે! અને એથીય આગળ વધીને, વિદ્યાલયના ખર્ચને પહેાંચી વળવા માટે લાખ ઉપરાંતની રકમની કાયમી આવક કરી આપવા સાથે સેંકડો વિદ્યાથી ઓને એમનાં કુટુંબને સુખી અને સપન્ન મનાવવામાં કેવી મહત્ત્વની સેવા મજાવી છે! મુંબઈનું આલ્ડ બોય્ઝ યુનિયન વડલાની વડવાઈ પણ કચારેક સમય જતાં, ધરતીમાં પેાતાનાં મૂળિયાં નાખીને, થડનું રૂપ ધારણ કરી લે છે. વિદ્યાલયના લાભ લઈ જનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આપસઆપસમાં ભાઈચારા કેળવવાની સાથે પેાતાની માતૃસસ્થા પ્રત્યેનુ' ત્રણ અદા કરવામાં ઉપયાગી સેવા બજાવી શકે એ માટે, છેક સને ૧૯૨૮માં, મુખઈમાં એલ્ડ બૅાય્ઝ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ સ'સ્થાએ અવારનવાર વિદ્યાલયને સહાય મેળવી આપતાં રહીને પાતાની ઉપયેાગિતા પુરવાર કરી આપી છે; અને સાથે સાથે એક શક્તિશાળી સસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy