SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ હ૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ વિ. સં. ૧૯૩૦-૪૦ સુધીના સમયમાં વડનગરના અનેક જૈન નાગરકુટુંબોમાંથી ફક્ત દેવી કુટુંબનાં ૨થી ૩૦ ઘર જૈનધર્માનુયાયી હતાં. આ નાગરો ચુસ્ત જૈન હતા, અને તેમને જૈનધર્મ છોડવો પણ ન હતો. પણ ત્યારે જ્ઞાતિવ્યવહારમાં જૈન હોવાને કારણે કન્યા લેવડદેવડનો અવરોધ થયો ત્યારે આ નાગરવણિકો મૂંઝાયા અને તેઓએ અમદાવાદ આવીને શ્રી આત્મારામજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ તથા શ્રી મોહનલાલજી મહારાજ વગેરેને વિનંતિ કરી કે, અમારી મૂંઝવણ ટાળવા માટે અમોને અન્ય જૈન વણિક કોમમાં દાખલ કરાવો. પણ તે સમયે અમદાવાદની જૈન વણિકજ્ઞાતિએ તે વાત માની નહીં અને તેઓ નાઇલાજે પૈણવ થયા. આ હકીકત યોગનિક આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ તેમણે વિ. સં. ૧૯૭૩માં સંપાદિત કરેલા “જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ'ના પહેલા ભાગની પ્રસ્તાવનામાં લખી છે. આ સંબંધમાં મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) આ પ્રમાણે જણાવે છે : “ નાગર જેનોએ અમદાવાદની સમગ્ર જ્ઞાતિ વચ્ચે આજીજી કરી કે અમે જૈન છીએ, અમને જ્ઞાતિમાં મેળવીને બચાવી લો. તપાગચ્છાધિરાજ પૂ૦ મૂલચંદજી ગણિવર, સાગરના શ્રીપૂજ ભ૦ શાંતિસાગર, શેઠ પ્રેમાભાઈ વગેરે તેઓને મેળવી લેવા સમ્મત હતા. પણ અમદાવાદના જ્ઞાતિના ઠેકેદારો ધર્મપ્રેમી હોવા છતાં તેઓએ જ્ઞાતિ પ્રેમને વધુ વજન આપ્યું. એનું પરિણામ એ આવ્યું કે નાગરોએ વિક્રમની વીશમી સદીના મધ્યકાળમાં જૈનધર્મ છોડ્યો અને સૌ વૈષ્ણવ બની ગયા.”(જૈન પરંપરાનો ઈતિહાસ, ભા. ૨, પૃ. ૭૧૨) આ બે નોંધોની તુલનામાં પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરજીની નોંધ પ્રસંગના નજીકના સમયની કહેવાય. પૂ. મહ શ્રી દર્શનવિજ્યજીની હકીકતમાં નામપરિવર્તન નિરાધાર થયું હશે તેમ તો હું ચોક્કસ ન કહી શકું, પણ મારા સંશોધનકાર્યને અંગે મેં બે વાર જૈનપરંપરાનો ઈતિહાસ જોયેલો ત્યારે મારે જે જેવું હતું તે સંબંધમાં તેમાં ભ્રામક વિધાન જોયેલાં તેથી જણાવી શકું કે, જે અન્ય પ્રામાણિક આધાર ન જ હોય તો આ સંબંધમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજીની હકીકત ઉચિત મનાવી જોઈએ. અસ્તુ. ઉપરના પ્રસંગ પછી પણ વડનગરના નાગરવણિકો પૈકી કેટલાક કુળના અનેક પેઢીગત સંસ્કારને લીધે જૈન મંદિરમાં જતા હતા. આમાંના છેલ્લા ગૃહસ્થ શ્રી વ્રજલાલ સખારામ દેવી કોઈ જ્ઞાતિજન ન જાણે તે રીતે જિનમંદિરે જતા. આ હકીકત મેં વડનગર જઈને તેમના ભૂતપૂર્વ મુનિ પટેલ પાસેથી જાણી છે. શ્રી વ્રજલાલ સખારામનું મૃત્યુ વિ. સં. ૨૦૧૦ની આસપાસ થયું છે. તેમના તરફથી અપાયેલી રકમના વ્યાજમાંથી શ્રી મહાવીરજન્મવાચનના દિવસે (ભાદરવા સુદ ૧) ઉપાશ્રયમાં પ્રતિવર્ષ પ્રભાવના થાય છે. જે વ્યાજની રકમથી પ્રભાવનાનો ખર્ચ વધારે થાય તો શેષ રકમ તેમના સુપુત્ર શ્રી હસમુખલાલ વ્રજલાલ દેવી આજ સુધી આપે છે. મોઢ, દિસવાલ, પલ્લીવાલ, ખડાયતા આદિ વંશોના જૈન વણિકોને પણ અનેક ઉલ્લેખો મળે છે. તે અને અહીં જણાવેલા નાગરવણિકોના સમૂહો જૈન પરંપરામાંથી સાવ લુપ્ત થયા તે હકીક્ત એક રીતે સુચક બની જાય તેવી છે. આમ થવાનાં કારણે પૈકી કેટલાંક કારણ એવાં પણ હોઈ શકે, જેની ચર્ચાનો અધિકાર લેવો મને ન પણ ગમે. વળી તે કેટલીક અપેક્ષાએ મારા અભ્યાસના વિષયથી પર છે. એટલે આ સંબંધમાં આ પ્રકારના અન્વેષકો અને અધિકારીઓને આ રીતે માત્ર અંગુલીનિર્દેશ કરી આ લેખ પૂર્ણ કરું છું. અંતમાં, શાસ્ત્રીય અન્વેષણની જ અહીં દષ્ટિ રાખી છે તેથી કોઈના લાઘવદર્શનનો અંશ પણ ભારામાં નથી એ વિનીત ભાવે જણાવું છું. વડનગરના શ્રીજૈનસંઘના આગેવાન શેઠજી શ્રી ચંદુલાલ ચુનીલાલ શાહ તથા શ્રી ચુનીલાલ ભીખાભાઈ પટેલે મને કેટલીક માહિતી આપી છે તે બદલ તેમનો ઋણી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy