SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ જ્ઞાનપ્રવૃત્તિ જ્ઞાનરૂપી અમૃત માટે દરિયે ડહોળવો પડે તેમ નથી. અમૃત તે દેવતાની વાતમાં ગયું. અમારી વાતમાં અમૃતને અવકાશ નથી. પહેલાં ડગલે ને પગલે દેવતાઓ આવતા હતા, તે વખતે અમૃતની વાત હતી. જે કાળમાં દેવતાનાં દર્શન દુર્લભ ત્યાં દરિચો ડહોળ્યો, એ વાત તવવાળી ન ગણાય. આજકાલ રસાયણ તે માને છે ને? તે આવેલા ઘડપણને નાશ કરી જુવાની લાવી દે, ગમે તેવા ભયંકર રોગોને ટાળી દે પણ આત્માના રોગોને તે તે ઊલટા વધારે છે. વિષય, કષાય, અભિમાનને વધારે છે. જ્ઞાન આત્માની અંદર રહેલા અજ્ઞાનરૂપી દો, અવિરતિરૂપી દોષ, કોઇ, માન વગેરે દોષને જડમૂળથી કાઢી નાખે. કાષ્ટક ઔષધિ તે વખતે દોષ કાઢી નાંખે પછી દદ જાણે. રસાયણ જડમૂળથી દર્દ કાઢી નાખે તેવી રીતે અહીં આમામાં રહેલ અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ કષારૂપી દર્દીને જડમૂળથી કાઢી નાંખે તે રસાયણ જ્ઞાન છે. આ તે વાત ખરી પણ તાવ મટાડવાની ઈચ્છા કેને હેય? તાવ આવ્યો હોય તેને ટુવાની મોજ હોય? દરદમાં લેવાયા હોય તેને જ્ઞાન રસાયણ તરીકે લાગે. શાથી? દરદી બનીએ ત્યારે ફાયદો કરેને ? વ્યવહારની અપેક્ષાએ ભલે આપણે અજ્ઞાની હેઈએ પણ નિશ્ચયની અપેક્ષાએ આપણે અજ્ઞાની, અવિરતિ નથી. - જ્ઞાન એ આત્માની ઠકુરાઈ છે. ઠકુરાઈની કિંમત સ્વાભાવિક છે. દરિદ્રતાને અગે તે નથી. આત્માને અવિરતિ વગેરે ન માન, આત્માનાં સ્વભાવ અશ્વર્યને તે માનીશને ? જગતના ઐશ્વર્યમાં પારકું મળે તે પરમેશ્વર થાય લાખ મેળવે તે લક્ષાધિપતિ કહેવાય. જ્યારે અહીં આગળ આત્માનું ખરું અશ્વર્ય જ્ઞાન છે. બીજી કશી ચીજની જ્યાં દરકાર નથી. આત્માના સ્વરૂ૫ રૂપ હોવાને લીધે બીજાની દરકાર વિના, રૂપ અરૂપીની દરકાર વિના આત્માનું ઐશ્વર્ય હોય તે તે જ્ઞાન છે. જે બુદ્ધિશાળીઓ છે તે બધા જ્ઞાનની આ સ્થિતિ કહે છે આ અતિશયોક્તિ નથી માટે દરેક આત્માએ આવા જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ૨૩
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy