SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પ્રવચન દર્શન ૩ઃ૪. આયુષ્ય ભેગવીએ ત્યારે બીજે દિવસ મળે છે. પાંચમાનું આયુષ્ય -પૂરું થાય છે ત્યારે જ છડ્રાનું આયુષ્ય મળે છે. એટલે એકનો ખર્ચ કરીએ છીએ ત્યાર પછી બીજો આવે છે. આ પ્રમાણે વહેતા પાણીની માફક આખી જિંદગી ચાલી જાય છે. જેમ એકાદ દારૂડિયો દારૂ પીને પડે છે અને તેને જગતનું ભાન હેતું નથી. પોતાના હિતાહિતનું ભાન હેતું નથી. પોતાની કીતિ, પ્રતિષ્ઠાનું ભાન હોતું નથી, અને સમય પસાર થઈ જાય છે, તે જ પ્રમાણે આ જીવાત્માને પણ તેના હિતાહિતનું ભાન હેતું નથી. અને જીવાત્મા કાળ પસાર કરીને કર્મોમાં બંધાતે જાય છે. આત્માને પણ એ વાતનું ભાન -રહેતું નથી કે હું કોણ છું ? કયાથી આવ્યો છું? કયાં જવાને - શું ? અને મારી શી ગતિ થવાની છે ! આ જીવ પિતે એમ પણ નથી વિચારતે કે મારું સ્થાન કયાં છે ? અને હું અહીં કયાંથી અને કેવી રીતે આવ્યો છું ? શરીરનું રત્ન કર્યું ? માણસ જેમ દારૂ પીએ છે અને પછી મસ્ત થઈને રસ્તામાં પડે છે તેમ આ આત્મા મેહમદિરા પીને મસ્ત બન્યો છે, અને તે -જગતમાં પડે છે. તેને પોતાના સ્વાર્થને પણ યાલ નથી, અને -પિતાની ચીજને પણ ખ્યાલ નથી. તમે શરીરના રત્નને આંખ ગણે છે, આંખના જે શરીરનો બીજે કઈ પણ અવયવ તમે કિંમતી -માનતા નથી. એ આંખને લોકે રત્ન કહે છે, રત્નને આ જગત જુએ છે. આપણી આંખ તે આ દુનિયાને જુએ છે. બધી વસ્તુનું અવલોકન કરે છે, અને તેનું આપણને જ્ઞાન થાય છે, છતાં એ આંખમાં પણ એક મેટી ખેડ એ છે કે તે આખા જગતને જુએ છે, પરંતુ પોતાને જ તે જોઈ શકતી નથી !! આ જીવ શરીર ધારણ કરે છે એટલે પહેલવહેલો તે માતાને -અને તેના સ્તનને જુએ છે, અને તે જ આખી દુનિયા છે એમ સમજે છે! માટે થયે એટલે રમતમાં પડયે. ત્યા બાલમિત્રોને જ ઝંખે છે અને તે મળ્યા એટલે બધું મળ્યું એમ માને છે. નિશાળે
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy