SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ર (૨૬) શ્રી શુભચન્દ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે – यद्विशुद्धः परं धाम यद्योगिजनजीवितम् । तवृत्तं सर्वसावधपर्युदासैकलक्षणम् ॥१-८॥ આત્માની શુદ્ધતાનું જે ઉત્કૃષ્ટ ધામ છે, યોગીશ્વરનું જે જીવન છે, અને સર્વ પાપથી જે દૂર રાખનાર છે તે સમ્યફચારિત્ર છે. पञ्चव्रतं समिपंच गुप्तित्रयपवित्रितम् ।। श्रीवीरवदनोद्गीर्ण चरणं चन्द्रनिर्मलम् ॥५-८॥ શ્રી વીર ભગવાને, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું તે પ્રકારે ચન્દ્રમા સમાન નિર્મળ ચરિત્ર કહ્યું છે. निःस्पृहत्वं महत्वं च नैराश्यं दुष्करं तपः । कायक्लेशश्च दानं च हिंसकानामपार्थकम् ॥२०-८॥ જે હિંસક પુરુષ છે તેની નિસ્પૃહતા, મહત્તા, આશારહિતપણું, આકરાં તપ, કાયક્લેશ, અને દાન એ સર્વ ધર્મકાર્ય નિષ્ફળ છે. अहिंसैव जगन्माताऽहिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी श्रीरहिंसैव शाश्वती ॥३२-८॥ अहिंसव शिवं सूते दत्ते च त्रिदिवश्रियं । अहिंसैव हितं कुर्याद्व्यसनानि निरस्यति ॥३३-८॥ અહિંસા જ જગતનું રક્ષણ કરનાર માતા છે, અહિંસા જ આનદની વૃદ્ધિ કરનાર છે. અહિંસા જ ઉત્તમ ગતિ છે, અહિંસા જ અવિનાશી લક્ષ્મી છે, અહિંસા જ મેક્ષિસુખને ઉત્પન્ન કરનાર છે, અહિસા જ સ્વર્ગસંપત્તિને દેનાર છે, અહિંસા જ પરમ હિતકારી છે, અને અહિંસા જ સર્વ આપદાઓનો નાશ કનાર છે. * तप:श्रुतयमज्ञानध्यानदानादिकर्मणां । सत्यशीलवतादीनामहिंसा जननी मता ॥४२-८॥ • તપશ્ચર્યા, શાસ્ત્રજ્ઞાન, મહાવત, આત્મજ્ઞાન, ધર્મધ્યાન અને દાન
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy