SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ • ભય નિરધર વાહિ કર ન કછુ ઔર, * ઐસે વિશ્વનાથ તાહિ બનારસિ અચે. ગા. ૩ અ ૦ ૯ જ્ઞાની આત્મા ભેદવિજ્ઞાનરૂપી કરવતથી આત્મા અને કર્મ બંનેની બે ફાડ કરે છે અને બંને ફાડને જુદી જુદી જાણે છે. આત્માના અનુભવને અભ્યાસ કરી શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરે છે, અને કર્મના સમૂહને ખજાને ખોલી–સત્તામાના કર્મોની ઉદીરણા કરી બધાંય કર્મને ખપાવી નિર્ભર કરે છે. આ પ્રકારે મોક્ષના માર્ગમા દોડે છે, પ્રગતિ કરે છે, અને તેથી કૈવલ્યવાન સમીપ આવે છે. પરિપૂર્ણ પરમ આત્માને પરિચય કરી પૂર્ણ નિરાકુળતા પામે છે. તે ભવભ્રમણના બંધનને તોડી નિબંધ થાય છે, તેને કંઈ કરવાનું બાકી રહેતું નથી-કૃતંકૃત્ય છે એવા વિશ્વનાથ-શુદ્ધ આત્મદેવ તેને બનારસીદાસ વદે છે–પૂજે છે. જામેં લેક વેદ નહિ થાપના ઉછેર નહિ, “ પાપ પુન્ય ખેદ નાંહિ ક્યિા નહિ કરી : જામેં–રાગ દ્વેષ નહિ જામેં બ ધમેક્ષ નહિ, - જામેં પ્રભુ દાસ ન આકાશ નીહિ ધરની, જામેં કુલ રીતિ નહિ, જામે હાર છત નહિ, જામેં ગુરુ શિષ્ય નાંહિ વિષય નહિ ભરમી, આશ્રમ વરણ નાંહિ કાકા સરણ નહિ, ઐસી શુદ્ધ સત્તાકી સમાધિ ભૂમિ વરની. ગા. ૨૪ અo ૯ શુદ્ધાત્માના સ્વરૂપમાં લૌકિક સુખ દુઃખને અનુભવ નથી, સ્થાપના નથી કે ઉચ્છેદ નથી, પાપ અને પુણ્યનો ખેદ નથી, ક્રિયાનું કરવાપણું નથી, રાગદ્વેષ નથી, બંધમેક્ષ નથી, સ્વામિત્વ દાસત્વ નથી, આકાશ કે પૃથ્વી નથી, કુલની રીતિ નથી, હાર જીત
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy