SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ક્ષેત્રપરિવર્તનમાં વ્યપરિવર્તનમાં પણ દીર્ઘ અનંતકાલ વિતાવ્યા છે. (૩) કાળપરિવર્તનઃ ઉત્સપિણી એટલે જે કાળચક્રમાં આયુ, કાય, સુખ વધતાં જાય છે. અવસર્પિણી એટલે જે કાળમાં એ બધાં ઘટતાં જાય છે. આ બન્ને યુગોના સુકમ સમયમાં કોઈ એવો સમય બાકી રહ્યો નથી કે જેમાં આ જીવે કમ ક્રમથી જન્મ અને મરણ કર્યા હેય નહિ. એવા એક કાળપરિવર્તનમાં ક્ષેત્રપરિવર્તનથી પણ અધિક અનંતકાળ વ્યતીત કર્યો છે. (૪) ભવપરિવર્તન ચારે ગતિમાં નવ વેવિક પર્યત કાઈ ભવ શેષ રહ્યો નથી જે આ જીવે ધારણ કર્યો ન હોય. આ એક ભવપરિવર્તનમાં કાળપરિવર્તનથી પણ અધિક અનંતકાળ વીત્યો છે. (૫) ભાવપરિવર્તનઃ આ જીવ આઠ કર્મોનાં બંધન થવા રોગ્ય ભાવેને પ્રાપ્ત થયેલ છે. આ એક ભાવપરિવર્તનમાં ભવપરિવર્તનથી અધિક અનંતકાળ ગ છે. આ પ્રકારનાં પાંચ પરિવર્તન આ સંસારી જીવે અનંતવાર કર્યા છે. આ સકળ સંસારના પરિભ્રમણુનું મૂળ કારણ મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શનની સાથે અવિરતિ, પ્રમાદ, કષાય તથાગ પણ સંસારનાં કારણે છે. મિથ્યાદષ્ટિ સંસારના ભોગેની તણથી હિંસા, અસત્ય, ચેરી, કુશીલ, તથા પરિગ્રહના અતિચારરૂપ પાંચ અવિરતિ ભામાં ફસાઈ રહે છે. તે મિથ્યાષ્ટિ આત્મહિતમાં પ્રમાદી રહે છે. તીવ્ર ક્રિોધ, માન, માયા, લોભ કષાય કરે છે. મન, વચન અને કાયાને અતિ આકલિત રાખે છે. આ અસાર સંસારમાં અજ્ઞાની મિથ્યાદષ્ટિ જ કષ્ટ પામે છે, તેને જ સંસાર પરિભ્રમણ છે. જે આત્મજ્ઞાની સમ્યક્દષ્ટિ હોય છે તે સંસારથી ઉદાસીન-વૈરાગ્યવંત હોય છે, અતીન્દ્રિય આત્મિક સાચા સુખની તેને ઓળખાણ થઈ છે. તે મેક્ષ પ્રાપ્તિને અભિલાષી હોય
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy