SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ જન થતાં નથી, પિતાનાં બાંધેલાં કર્મોના ફલને આ જીવ એક લે જ ભોગવે છે. क्षीरनीरवदेकत्र स्थितयोर्दैहदेहिनोः । भेदो यदि ततोन्येषु कलत्रादिषु का कथा ॥ ४९ ॥ ક્ષીર અને પાણીના સમાન એક સાથે મળેલા આ દેહ અને આત્મામાં પણ જ્યારે ભેદ-ભિન્નત્વ છે તે અન્ય સ્ત્રી આદિકની વાત જ શુ કરવી ? તે તો જુદા જ છે. कर्मेभ्यः कर्मकार्येभ्यः पृथग्भूतं चिदात्मकम् । आत्मानं भावयेन्नित्यं नित्यानन्दपदप्रदम् ।। ६१ ॥ આ આત્મા આઠ કર્મ અને આઠ કર્મને કાર્યોથી જુદે છે. ચિતન્યસ્વરૂપમય છે, નિત્ય છે અને શાશ્વત આનદમય પદને આપનાર છે એવી ભાવના જ્ઞાનીએ કરવી ઉચિત છે. (૨૨) શ્રી પદ્મનાદિ મુનિના સબંધચંદ્રોદયમાંથી – कर्मबंधकलितोप्यवंधनो द्वेपरागमलिनोऽपि निर्मलः । देहवानपि च देहवर्जितश्चित्रमेतदखिलं चिदात्मनः ॥ १३ ॥ આ આત્મા કર્મબંધ સહિત હેવા છતાં પણ કર્મબંધથી રહિત છે; રાગ દ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મલ છે; દેહધારી હેવા છતાં પણ દેહ રહિત છે આ સર્વ આત્માનું મહાભ્ય આશ્ચર્યકારી છે. व्याधिनाङ्गममिभूयते परं तद्गतोऽपि न पुनश्चिदात्मकः । उच्छ्रितेनगृहमेव दह्यते वह्निना न गगनं तदाश्रितम् ॥ २४ ॥ રાગેથી આ શરીરને પીડા હોય છે પરંતુ આ શરીરમાં પ્રવિષ્ટ ચૈતન્ય પ્રભુને પીડા હેતી નથી. જેમ અગ્નિની જવાલાઓથી ઘર બળે છે પણ ઘરમાં રહેલ આકાશ બળતું નથી. આત્મા આકાશ સમાન નિલેપ અને અમેતિક છે. બળી શકતો નથી.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy