SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર ગરમીની રૂતુને લીધે બધાનાં કપડાં મેલાં છે ત્યારે જેનાર સમુહ એમને જોઈને સમજે છે કે આ કેનાં કપડાં સારાં સ્વરછ નથી એ મેલાં છે. કેઈ સભામાં પચાસ માણસે એકત્ર હેય. બધાયા નવાં સફેદ કપડાં પહેરીને આવ્યા હોય તો જેનાર જનસમૂહને તે બહુ સુંદર લાગે છે કારણ કે એમનાં કપડાં ઉપર મેલ નથી. એવી રીતે જ્યારે ક્રોધ, માન, માયા, લેભાદિથી રંગાએલ જીવ હોય ત્યારે બધાને સારું લાગતું નથી, ખરાબ લાગે છે અને જ્યારે તેના પ્રતિપક્ષ ક્ષમા, વિનય, ઋજુતા, સતિપાદિથી સંપન્ન છવ હોય છે ત્યારે સર્વને સારે લાગે છે. એનું કારણ એ છે કે ક્ષમા, વિનય, જુતા, સ તેષાદિ તે જીવને સ્વભાવ છે જ્યારે ક્રોધ, માન, માયા, લોભાદિ છવને સ્વભાવ નથી, દેપ છે, મેલ છે. ક્રોધ મનુષ્ય પોતે પણ જે પોતાને જુવે તો ક્રોધના સમયે તો તે પોતાના સ્વરૂપથી બહાર હોય છે. તેને ઘણી આકુલતા ઉત્પન્ન થઈ જાય છે. બહુ દુઃખિત ભાવ થઈ જાય છે. જ્ઞાન મલિન થઈ જાય છે. વિવેક વિલય થઈ જાય છે. કાઈનું કાઈ સત્યાસત્ય વિચારવા લાગે છે, બકવા લાગે છે અને ગમે તેને મારવા ઝૂડવા લાગે છે. તેને સ્વભાવ બગડી જાય છે. ક્રોધીને જે કંઈ નવીન જ્ઞાન-ઉપદેશ આપવામાં આવે છે તો તે તે ગ્રહણ કરતો નથી. તેના પરિણામ ભારે ક્ષોભિત અને મલિન થઈ જાય છે. પણ જ્યારે એને ક્રોધ ઊતરી જાય છે, શાંતિ આવે છે ત્યારે પિતાને નિરાકુળ અનુભવે છે, સુખી અનુભવે છે. તે અવસરે વિવેકી રહે છે. મનમાં સારા સારા વિચાર કરે છે. વચન પણ સારાં સારાં બોલે છે. કાયાથી સારી સારી ક્રિયાઓ કરે છે. નવીન જ્ઞાનોપદેશને પણ ગ્રહણ કરે છે, બરાબર રીતે સમજે છે કારણ કે તે ક્રોધરૂપી પિશાચને વશ નથી, ક્રોધરૂપી મદિરાના કેસમાં નથી, તે પોતે પોતાનામાં છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy