SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ભગવદ્દગીતા સંબધી ડુંક આમ અજુન તે મધ્યમાધિકારી મનુષ્ય પણ તે ઊંચી કોટિને મધ્યમાધિકારી આટલું સમઝી લેવાથી ગીતાને જ્ઞાન ભક્તિ અને કર્મ સંબધી ઉપદેશ યથાથરૂપે સમઝાશે. ગીતા સંબધી આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ગીતા શું ઉપદેશે છે?—જ્ઞાન કર્મ કે ભકિત? આ ઉપર ટીકાકારાએ ઘણા વાર્દવિવાદ કર્યા છે. અને સહુ પક્ષવાળાએ પિતપોતાના સિદ્ધાન્તના સમર્થનમાં ગીતાનાં વચને ટાંક્યાં છે. પણ આપણે એ શબ્દજાળમાં નથી પડવું. આપણે છૂટા છવાયાં વાક્યનું અવલઅન ન કરતાં ગીતાના હૃદયમાં પહોંચી જવું છે. અને એ રીતે જોઈએ છીએ તો ગીતા નથી જ્ઞાન ઉપદેશતી, નથી કર્મ ઉપદેશતી, નથી ભકિત ઉપદેશતીઃ એ તે રાજ” છે, અર્થાત “ગ” ઉપદેશ છેઃ જ્ઞાનયોગ ઉપદેશ છે, કર્મયોગ ઉપદેશે છે. ભક્તિયોગ ઉપદેશે છે. “ગ” એટલે અજ્ઞાન લોક સમઝે છે તેમ પલાંઠી વાળવી કે આંખો મીંચવી કે શ્વાસોચ્છવાસ રેકો એમ નહિ પણ; ( યુ ધાતુ ઉપરથી) ગ” એટલે જોડવું, જીવાત્માને પરમાત્મા સાથે જોડો. એ જોડવાનું સાધન તે “ગ”. “જ્ઞાનગ” એટલે કેવળ જ્ઞાન નહિ, પણ એવું જ્ઞાન કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે; એ પ્રમાણે “કર્મચાગ તે એ કર્મ કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે; અને “ભક્તિયોગ” તે એ ભક્તિ કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે; આને બાલધાર્થ એક આકૃતિ કાઢીને બતાવીએ તે એક ત્રિકેણુ દેરીએ. એનું શિરોબિન્યું પરમાત્મા અને બાજુની બે લીટીઓ તે “જ્ઞાનયોગ અને કર્મવેગ; અને શિબિન્દુથી ભૂમિકા તરફ સીધી લીટી દેરીએ તે “ભકિતયોગઃ” પરમાત્મા જ્ઞાન-યોગ ભક્તિ-ગ કર્મ-વેગ ભકિત જ્ઞાન અહીં પ્રસંગવશાત એ પણ જોઈ શકીએ છીએ કે જ્ઞાન અને કર્મ એ બેની લીટીઓ લાંબી છે. ટૂંકી લીટી અને સીધી લીટી ભક્તિની છે. •
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy