SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ “જડ અને ચિત” ૪૯૭ જે ભેદ પાડે છે એ જરૂર નથી. મહાન ભૌતિકશાસ્ત્રી ક્લાર્ક ઍકલ એગ્ય જ કહે છે કે –“જે ગુણેમાં કાંઈ કિંમત રહેલી છે એ બધા ગુણેમાં જડ પરમાણુઓ સરખાં થયાં એનું શું કારણ? આ સાદસ્યના ખુલાસા માટે આપણે એ પરમાણુઓની પાર સર્વનું એક કારણ માનવું જોઈએ.” કલાર્ક મેંફસ્પેલ આ કારણને પરમાણુનું સર્જક અને ચૈતન્યવિશિષ્ટ નિયામક માને છે. એ જ પ્રમાણે લૈર્ડ કેલ્વિન જડમાં પણ પરમાત્માના અસ્તિત્વની સાખ્ય જૂએ તે એમાં શું છે ? કે, જડ કરતાં ચેતન વધારે અદ્ભુત છે એમાં સંશય નહિ. (૪) મિ. મેલેકે લોર્ડ કેલ્વિન હામે જણાવ્યું કે – (૪) કેલ્વિન માની લે છે કે મનુષ્યમાં સ્વતન્ત્ર કૃતિ–શક્તિ છે, પણ એમ માનવાને શું પ્રમાણ છે? (g) ચેતન કારણ સિદ્ધ કરવાથી બસ નથીઃ એ કારણનીતિથી ભરપૂર છે એમ સિદ્ધ કરવું જોઈએ. વિશ્વતન્ત્રમાં જે કરતા ટેનિસનને નજરે પડી હતી, એ કેવિનને નજરે કેમ ન પડવી જોઈએ? (૫) પ્રોફેસર રે લંકેસ્ટર નામના એક પ્રતિષ્ઠિત વિદ્વાને એક લાંબા પત્રમાં નીચેના તાત્પર્યવાળા વિચારે દર્શાવ્યા – (#) સાયન્સ અને ધર્મ વચ્ચે લૈર્ડ કેલ્વિન જે નિકટ સંબન્ધ બતાવે છે એ ભૂલભરેલો છે. એ બંને વચ્ચે પૂર્વે કાંઈ પણ સંબન્ધ જોવામાં આવતો હોય તે તે વિરોધને છે. (૪) સમસ્ત વિશ્વ—જડ અને ચેતન, મનુષ્ય પશુ અને ગેસ સર્વ એક યન્ત્રવત, સપ્ત કાર્યકારણના નિયમને અધીન છે. એના મુખ્ય મુખ્ય ગુણ અને વિગત દિનપરદિન મનુષ્ય એની બુદ્ધિથી જાણતો આવે છે. પણ એ યગ્ન ક્યાંથી આવ્યું? શા માટે અસ્તિત્વમાં છે? કયી તરફ જાય છે? એની પાર આપણું ઈન્દ્રિયેથી અગ્રાહય એવું શું છે અને શું નથી?—એ વિષે આપણે કાંઈ પણ જાણીએ છીએ, કે જાણવાની આશા રાખી શકીએ, કે જાણવાની શક્યતા સરખી પણ કલ્પી શકીએ એમ કઈ પણ ડાહ્યો માણસ કહેશે નહિ. આને ખુલાસો સાયન્સ કદી આપ્યો નથી, અને આપશે નહિ. () લેડ કેલ્વિને જડ અને ચેતનની ઉત્પત્તિને ભેદ બતાવ્યો એ બાબત દલીલવાળા ખુલાસાની જરૂર છે.
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy