SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ નવાઇ લાગે, તેા આનંદશંકર પદને અર્થે સંસ્કૃતિ—civilization—કરી એ દલીલમાં ખૂબ અર્થ ભરી આપે છે. આ પદ્ધતિ અધિકારીના હાથમાં જઈ. અશાસ્ત્રીય અને સ્વચ્છન્દી બની જાય, પણ આનંદશંકર - બતાવે છે તે, દિશા બહુ જ ફળદાયી નીવડવા સંભવ છે. i r ... • • આ બે પદ્ધતિઓ અર્વાચીન છે. પ્રાચીન પદ્ધતિઓ પણ તેમણે બહુ સફળ રીતે વાપરી છે, અને' તે ગ્રન્થનું તાત્પર્ય સમજવા અર્થે કરવાની પદ્ધતિ. આમાં બેત્રણ પદ્ધતિ - મુખ્યત્વે આવે છે. ત્રણેય પારિભાષિક છે, પણ પહેલી એ વિશેષ' કરીને એવી છે તેમાં પહેલી ગણાવીએ નિર્વચનપદ્ધતિ વ્યુત્પત્તિથી અર્થ કરવાની પદ્ધતિ. આ પદ્ધતિ ધણી પ્રાચીન છે. વેદ જેટલી પ્રાચીન છે; નિરુક્તમાં તેના અહેાળા ઉપયાગ થયા. છે અને દયાનન્દ સરસ્વતીએ પણ 'વેદના અર્થ કરવામાં એના ધણા ઉપયાગ કર્યાં છે. આનંદ– શંકર એના ઉપયાગ કરે છે પણ તેમાં ક્યાંઈ ઇતિહાસને અવગણતા નથી, તેમ` પેાલકલ્પનામાં સરી પડતા નથી. તેનાથી ચેતાવે પણ છે. આવી જ રીતે વાક્યના અર્થ કાઢવામાં પ્રાચીન તાત્પર્યનિર્ણયના નિયમાના સુંદર ઉપયાગ કરે છે. જેમÝ વંચિત ઉપલક્ષણ એમ કહીને અર્થવિસ્તાર કરે છે, જેમકે પૃ. ૧૨૨ ઉપર. માાળોડણ્ય મુલમાલીદ્ એવી શ્રુતિ ચાર વર્ણના સમર્થનમાં ટાંકવામાં આવેછે ત્યારે આનંદશંકર કહે છે ચાર વર્ણી એ ત્યાં વિધિ નથી, માત્ર અનુવાદ છે—વસ્તુસ્થિતિ જેવી હતી તેની નોંધ માત્ર છે, ત્યાં વિધિ તે વર્ણભેદ ટાળી પુરુષમાં એકતા અનુભવવાના છે. મનધિતાર્થાન્તુ પ્રમાળમ્। અજ્ઞાત અર્થને જણાવે તે પ્રમાણુ, અને તેએ ઇતિહાસના જ્ઞાનથી જણાવે છે કે એ શ્રુતિસમયે વર્ણી તેા હતા જ, એટલે એ શ્રુતિનું વક્તવ્ય વર્ણીની આવશ્યકતા નથી. એમ એ પ્રાચીન પદ્ધતિથી જ, કહેવાતા સનાતની મતના ઉત્તર વાળે છે. ત્રીજી પદ્ધતિ તે પુરાણકથાઓના અને કેટલીક વિધિઓના રહસ્યસ્ફોટનની પદ્ધતિ, જેને તેઓ અર્થ કરવાની આધ્યાત્મિક પદ્ધતિ કહે છે,૪૫ આ પદ્ધતિ પણ આનંદશંકરે કહ્યું છે તેમ પ્રાચીન છે. એના ઉપયાગ સદ્ગત - મણિલાલે પણ કરેલા છે.' આનંદશ કર એના ઉપચેાગ કરે છે અને તેમાં સર્વત્ર એ અર્થે પ્રતીતિકર ચાય છે અને સુંદર હૈાય છે. વિષ્ણુ અને લક્ષ્મી, નટરાજ, ગજેન્દ્રમેાક્ષ, કુબ્જાનું ઋજૂકરણ,કૃષ્ણ ગાપીના રાસ, વગેરે તેના અનેક દાખલા છે. આ‘પતિ પહેલી ખેની અપેક્ષાએ ઓછી પારિભાષિક છે, અને કલ્પનાગર્ભ હાઈ પહેલી મેની અપેક્ષાએ વિશેષ આહ્લાદક છે. ' '' ૪૫. પૃ. ૭૫૨-૫૪ 1
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy