SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ યુધિષ્ઠિરનું અસત્યકથન ૧ ગોવિન્દ જોયું જે પૃથ્વી થાશે પાંડવહીન, સમરાંગણ જે દ્રોણ ઘૂમશે, તેથી વ્યથિત થ દીન; ધર્મરાજાને વદત વાણું –અર્ધ દિવસ જે દ્રોણ, ક્રોધ ધરીને ઝૂઝશે તે, સત્ય કહું રાજન. સેના હારી જશે ઘસડાઈ, વિનાશના મુખમધ્ય, માટે પ્રાણ થકી તું બચાવે, થોડું વદી જ અસત્ય; સત્ય થકી જ અસત્ય રૂપાળું, જીવન અર્થે કઈ અવૃત ભાષણ કરે હેને પાપને સ્પર્શ ન હોય, આ પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે-“મહારાજ! વાત એમ બની છે કે દ્રોણને મારવાને બીજે ઇલાજ ન જડવાથી ભાલવરાજ આપણું સિન્યમાં પેસતો હતો ત્યાં મેં એના અશ્વત્થામા નામના હાથીને માર્યો, અને અશ્વત્થામા ભરાયો !” એમ બૂમ પાડી. પણ આથી પિતાને પુત્ર મરાયો છે એમ એમને શ્રદ્ધા પડી નહિ. દ્રોણને તમારા શબ્દમાં શ્રદ્ધા છે, માટે એ તમને પૂછે કે “ખરી વાત શી છે?” ત્યારે તમે કહેજે કે અશ્વત્થામા (શુપુત્ર) મર.” તમારૂ કહ્યું એ માનશે અને એ યુદ્ધ બંધ કરશે કારણ કે ત્રણ લોકમાં “સત્યવાન” તરીકે તમારી કીર્તિ છે.” (પાઈ ત્રણ તાલની ) સુણું હેવાં વચન વૃકોદરનાં, વળી માની વચન ભૂધરનાં; અને ભાવિ તણું જ પ્રભાવે, ધર્મરાજા વદે દૈધભાવે– * संदिद्यमानो व्यथितः कुंतीपुत्रं युधिष्ठिरम् ॥ अहत वा हतं वेति पप्रच्छ सुतमात्मनः ।। स्थिरा वुद्धिर्हि द्रोणस्य न पार्थी वक्ष्यतेऽनृतम् ॥ त्रयाणामपि लोकानामैश्वर्याथै कथंचन ॥ तस्मात्तं परिपप्रच्छ नान्यं कंचिद्विजर्षभः ।। तस्मिस्तस्य हि सत्याशा बाल्यात्प्रभृति पांडव॥ ततो निष्पांडवामुर्वी करिष्यन्तं युधांपतिम् ॥ द्रोणं ज्ञात्वा धर्मराजं गोविंदो व्यथितोऽत्रवीत् ॥ यथर्धदियसं द्रोणो युद्धते मन्युमास्थितः ॥ सत्यं ब्रवीमि ते सेना विनाशं समुपैष्यति ॥ स भवांखातु नो द्रोणात्सत्याज्ज्यायोऽनृतं वचः ।। अनृतं जीवितस्यार्थं वदन्न स्पृश्यतेऽनृतैः॥
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy