SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મયોગ આમ અદ્વૈતવૃષ્ટિથી શ્રીમદ્ભગવદ્ગીતાએ કર્યું અને જ્ઞાનના, પ્રવૃત્તિ અને નિવૃત્તિના અવિરાધ સ્થાપ્યા છે. ટ હજી એક મહત્ત્વના પ્રશ્ન વિચારવાના રહે છે–કર્મ પ્રભુ સાથે જોડવાં, પણ તે કેવાં જોડવાં? સારાં ખાટાં સર્વ? ઉત્તર –ખાટાં કર્યાં તે પ્રભુ સાથે જોડી શકાતાં જ નથી. અન્ધકારને તેજ સાથે શી રીતે જોડાય? ત્યારે ખાટાં કર્યું માટે જવાબદારી કાની? મ્હારી પેાતાની જ. ત્યારે આતે અર્થ શું એવા કે ખેાટાં કમ તેટલાં મ્હારાં, અને સારાં તેટલાં પ્રભુનાં ? ખેશક એમ.જ. પણ આ પ્રશંસા અને નિન્દાના વિભાગ માટે તમે કારણ માગશે।. તમે પૂછશે! –આ વિભાગ તે માત્ર ભક્તિને વિષય જ છે, કે એની ઉપપત્તિ થઈ શકે—એનું કારણ બતાવી શકાય—એમ છે ? કારણ સ્પષ્ટ છે કે જે કાંઈ ખેાટાં કર્મ થાય છે તે ‘ હું 'માંથીજ–અહંતામાંથી જ થાય છે. | તુલસીદાસજીએ કહ્યું છે કે— अभिमान पापमूल दया धर्मको मूल है > અર્થાત્ ‘ યા’ -આત્મભાવ—એ ધર્મનું મૂળ છે, અને ‘અભિમાન' બુદ્ધિ એ પાપનું મૂળ છે. અને ‘દયા' શબ્દના અર્થે નેત્રમાં અશ્રુ જ નથી, પણ એ અશ્રુમાં અને અશ્રુની પાછળ ઝળકતા આત્મભાવ છે; અને · અભિમાન ’ શબ્દ જે દયાના પ્રતિયેાગિરૂપે “એટલે કે ‘ દયા’ થી ઉલટા અર્થમાં વપરાયા છે તેના અર્થ ‘ ગર્વ ' નથી, પણ ગર્વ આદિ સધળા દુષ્ટ વૃત્તિઓનું ખીજભૂત જે હુંપણું અહંતા તે છે. આ આત્મભાવ અને અહંતા વચ્ચેના ભેદ લક્ષમાં રાખવાના છે. જે સ્વયંપ્રકાશ ચૈતન્ય મ્હારા તમારા સર્વમાં-પ્રકૃતિસુદ્ધાંતમાં રહેલું છે અને જેને ઘટપટાદની માર્ક વિષય ન કરી શકવાથી, છતાં સ્વયંભુપ્રકાશ અનુભવવાથી, આપણે ‘આત્મા’ કહીએ છીએ તેનું સર્વત્ર પ્રત્યભિજ્ઞાન કરવું એને સર્વત્ર એળખવા‘ચીનવા ’ –એના સ્વીકારમય થવું–અર્થાત્ એના જ્ઞાનને શાભતાં અન વાણી અને ક કરવાં, એનું નામ આત્મભાવ. એથી ઉલટી રીતે તમારા ચ્હામી મ્હારી જાતને સ્થાપવી, વિશ્વ હામે મ્હારા પિંડને મૂકવા, એક અખંડ ચૈતન્યને અજ્ઞાનથી ખંડિત કરવું, અને તનુસાર મન વાણી અને કર્મને સ્વાર્થપરાયણ કરવાં એનું નામ અહતા. ' .. r અહંતા કેમ ટળે, અને આત્મભાવ કેમ ઉદય થાય ? આ પ્રશ્ન ઉપર આવીએ છીએ ત્યારે આપણાં પ્રાચીન શાસ્ત્રાના મહિમા આપણને પૂરેપૂરા દેખાય છે. એમાં એક સાધન ન બતાવતાં અસંખ્ય સાધને ભૂતાવ્યાં છે,
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy