SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાદશÀાકી ગીતા ૭૧ ઉત્તર:–બંનેમાંથી એક પણ નહિ. કારણ: (૧) આત્મા પ્રકૃતિથી પર' છે, પણ પ્રકૃતિથી ભિન્ન નથી-અર્થાત્ પ્રકૃતિમાં રહી પ્રકૃતિથી પર છે. આ જ સાંખ્ય અને વેદાન્ત શાસ્ત્ર વચ્ચેના મ્હોટા ભેદ છે. અને કર્તવ્યપરત્વે એ ભેદ બહુ મહત્ત્વના છે; (૨) પ્રકૃતિને આત્મામાં લય પમાડવાની છે, આત્માને પ્રકૃતિમાં ડૂબાવવાના નથીઃ એટલે, આત્માનું દિવ્યસ્વરૂપ પ્રકૃતિમાં પ્રકટાવવાનું છે, પ્રકૃતિના દોષથી આત્માને મલિન કરવાના નથી. આમ હેાવાથી બ્રહ્મજ્ઞાનીનું વર્તન કેવું હોય છે એ બતાવે છેઃ— ' ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मेव तेन गंतव्यम् ब्रह्मकर्मसमाधिना ॥ ४ अ० २४ श्लो० ( કર્મશ્રદ્ઘાપણુ॰ ) [ “અર્પણુ બ્રહ્મ, હેવિ બ્રહ્મ, અગ્નિ બ્રહ્મ, હામ્યું બ્રહ્મ, ને તે જવાનું બ્રહ્મમાં જ, બ્રહ્નાકમસમાધિથી કરીને.”] ૫ ત્યારે દૂર વસતા બ્રહ્મની ભાવનાપુરઃસર યજ્ઞાદિક કરવામાં આવે તે ખસ? ઉત્તરઃ—ના. મા દૂર જ નથી, પણ ક્રૂર અને પાસે બંને છેઃ સર્વ દસ્ય પદાર્થોથી પર છે એટલુંજ નહિ, પણ સર્વ દૃશ્ય પદાર્થીમાં પણ છેઃ એટલે બ્રહ્મભાવના એ એક દૂર વસતા મ્હોટા ચેતનની જ ભાવના નથી, પણ આપણી આગળ જે જે દસ્ય પદાર્થો છે તે સર્વેમાં પરમ ચેતનની ભાવના કરવી એનું નામ બ્રહ્મભાવના છે. આમ હૈાવાથી ઈશ્વરને સ્વર્ગવાસી એક વ્યક્તિરૂપે માનનાર મનુષ્યે! દુનીઆના વ્યવહારમાં ખાટાં આચરા કરે, પણ જેને વ્યવહારમાં પણ બ્રહ્મ નજરે પડે છે તેનું વર્તન તે અલૌકિક ઉચ્ચતાવાળું જ થવાનું. માટે કહે છે કેઃ विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ ५ अ० १८ श्लो० ( કર્મર્સન્યાસ॰ ) [ “વિદ્યાવિનયસંપન્ન બ્રાહ્મણ કે ગાય કે હસ્તિ કે શ્વાન કે શ્વપચ એ સ પ્રતિ પડિતા સમદર્શી હાય છે.' ] પણ આ સમષ્ટિ” શી રીતે પ્રાપ્ત થાય? ગાળ ખાળ' બધું સમાન લેખવાથી ? એમ હોય તેા વેાતની નીતિ ભાગ્યે જ સંતાષકારક ઠરે, પણ
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy