SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 90 અષ્ટાદશશ્લોકી ગીતા છે તે જ ભગવતીતાના મહાન ઉપદેશને અધિકારી છે. પ્રથમાધ્યાયને નીચેને એક રહસ્યરૂપ છે – न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । कि नो राज्येन गोविंद किं भोगै वितेन वा ॥१ अ०३२ श्लोक (અર્જુનવિષાદ) [“મારે જયની ઈચ્છા નથી. રાજ્યની કે સુખની પણ નથી, હે. ગોવિન્દ, રાજ્ય કે ભેગ કે જીવિતનું આપણે શું કામ છે?”] આત્મા નિત્ય છે એ સિદ્ધાન્ત ઉપર નીતિ અને ધર્મને આધાર છે: આત્મા એ જડને આવિર્ભાવ માત્ર હેય તે કર્તવ્ય સંબધી સઘળ દરકાર માત્ર ક્ષણિક પ્રોજનવાળી, નિસાર થઈ જાય. માટે શ્રી કૃષ્ણ નીચેના શબ્દોમાં પિતાના પરમ ગંભીર ઉપદેશને પાયો નાંખે છે – न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भवतिा वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ ૨ ૦ ૨૦ કોઇ (સાંખ્ય ) [“કદી પણ, જન્મ પામતો નથી કે મરતો નથી,-એ થઈને ફરી થવાનો નથી; અજ છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, શરીર હણાયે પણ હણતા નથી.”] ત્યારે વિકાર, મરણાદિ, દેખાય છે તે શું? એને ઉત્તર કે એ સર્વ “ગુણ” નામ પ્રકૃતિને વિલાસ છે. આત્મા એ થકી પર છે, અસંગ છે. तत्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तते इति मत्वा न सज्जते ॥ ३ अ० २८ श्लोक [[ પણ ગુણ કર્મ વિભાગનું તત્વ જાણનાર, ગુણ જ ગુણમાં પ્રવર્તે છે, એમ માની આસક્ત થતો નથી.”] ત્યારે તે આપણે ૧) સ્તબ્ધ, નિશ્રેષ્ટ થઈ પડી રહેવું! વા, (૨) યિામાત્રને પ્રકૃતિને વિલાસ સમજી પાપાચરણ કરતાં પણ ન અટકવું !
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy