SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પંચસગ્રહ-પ્રથમવાર વિચ્છેદ થયે તે પછીના સમયે માનની બીજી સ્થિતિમાં રહેલા પ્રથમ કિષ્ક્રિના દલિકને. ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અંતર્મુહૂર્ત પર્યત વેદ. તે વેદતા સમયજૂન એ આવલિકા કાળમાં બંધાયેલું ધનું જે દલિક સત્તામાં શેષ રહેલું છે, તેને તેટલાજ કાળે ગુણસ ક્રમવડે સંક્રમાવતા સંક્રમાવતા ચરમ સમયે સંપૂર્ણપણે સંક્રમાવી તેની સત્તા રહિત થાય, અને માનનું પણ પ્રથમરિસ્થતિ રૂપે કરાયેલું પ્રથમ કિદિનું દળ ભેગવતા ભોગવતા સમયાધિક આવલિકા કાળમાં ભગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે માનની બીજી સ્થિતિમાં રહેલા બીજી કિલ્ફિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અનુભવે તેને પણ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે, ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિટ્રિના દલિકને પ્રથમ સ્થિતિરૂપે કરે અને અનુભવે તેને પણ તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. અને તેજ સમયે માનના બંધ ઉદય અને ઉકીરણનો યુગપત વિચ્છેદ થાય. સત્તામાં પણ સમયપૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકજ શેષ રહે. કારણ કે શેષ સઘળા દતિકને ગુણસક્રમવડે માયામાં સંક્રમાવી દીધું છે. માનની પ્રથમ કિદિની જે આવલિકા શેષ રહે છે તે બીજી કિદિમા, બીજી કિષ્ટિની જે આવલિકા શેષ રહે તે ત્રીજી કિટ્રિમાં અને ત્રીજી કિષ્ટિની જે આવલિકા શેષ રહે તે માયામાં સ્તિષુક સંક્રમવડે સંક્રમી ભગવાઈ જાય છે. આ પ્રમાણે દરેક કિઓિની શેષ રહેલી આવલિકા માટે સમજવું. જે સમયે માનના બંધ ઉદયને વિચ્છેદ થયે, ત્યારપછીના સમયે માયાની બીજી સ્થિતિમાં રહેલી પહેલી કિદિના દલિકને ખેચી તેની પ્રથમ સ્થિતિ કરે અને સાતમુહૂત પર્વત અનુભવે સંજવલનમાનના બંધને વિચ્છેદ થયા પછી સમયપૂન મે આવલિકાકાળમાં બંધાયેલા બીજી સ્થિતિમાં રહેલા દલિકને ગુણસંક્રમવડે માયામાં સંક્રમાવતાં સંક્રમાવતાં ચરમ સમયે સઘળું સંક્રમાવી સત્તા રહિત થાય, અને માયાનું પણ પ્રથમ સ્થિતિરૂપે કરાયેલું પહેલી કિક્રિનું દળ ભેગવતા ભાગવતા સમયાધિક આવલિકામાં ભગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા બીજી કિક્રિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિ કરે અને તેની સમયાર્ષિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિદિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અનુભવે. જે સમયે માયાની પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ ત્રીજી કિદિની સમયાધિક આવલિકા શેષ રહે તેજ સમયે માથાના બંધ ઉઠય અને ઉદીરણાને એક સાથે વિકેદ થાય. તેની સત્તાપણુ સમયજૂન છે આવલિકા કાળમાં જે બંધાયેલ છે તેજ છે. કારણ કે શેષ સઘળા દલિને ભેગવી અને ગુણસંક્રમવડે લેભમાં સંક્રમાવી દૂર કરેલ છે. દરેક કિષ્ટિની પહેલી સ્થિતિની એક એક આવલિકા જે શેષ રહે છે તેની વ્યવસ્થા પહેલા કહ્યા પ્રમાણે સમજવી. જે સમયે માયાના બંધ ઉદયને વિચછેદ થાય ત્યારપછીના સમયે લેભની બીજી સ્થિતિમાં રહેલા પહેલી કિદિના ઇલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને અંતમુહૂર્ત સુધી અનુભવે છે. સંજવલન માથાના બંધાદિનો વિચ્છેદ થયા પછી સમયન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલું તેનું જે દળ સત્તામાં હતું, તેને તેટલાજ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy