SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ Nયસરગ્રહ-પ્રથમકાર દલિકને જે નપુંસક શ્રેણિ માંડી હેય તે ભાગવતાં ભેગવતાં ક્ષય કરે છે, અને જે નપુંસકવેદે ન માંડી હોય તે આવલિકામાત્ર પ્રથમ સ્થિતિને વેદ્યમાન પ્રકૃતિમાં તિબુકર્સક્રમવડે સંક્રમાવી દૂર કરે છે. આ પ્રમાણે નપુંસકવેદને સૂત્તામાંથી નાશ કરે છે. ત્યારપછી. આજ ક્રમે આવેદને અંતમુહૂર્વકાળે ખપાવે છે. ત્યારપછી છ નેકષાયને એકી સાથે ખપાવવાનો આરંભ કરે છે. જે સમયે છ કષાયને નિમૂળ કરવાને આરંભ કરે છે. તે સમયથી આરંભી તેઓના દ્વિતીય સ્થિતિના દલિકને પુરુષવેદમાં સંક્રમાવતું નથી, પરંતુ સંજવલન ધમાં સંક્રમાવે છે. છ નેકષાને પણ પૂર્વોક્ત વિધિએ ક્ષય થતા થતા અંતમુહૂર્ત કાળે સર્વથા ક્ષય થાય છે. જે સમયે હાસ્યકને ક્ષય થાય, તેજ સમયે પુરુષદના બંધ, ઉદય અને ઉદીરણાને વિરછેદ થાય છે, અને સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક છેડી શેષ સંપૂર્ણ દલિકને પણ ક્ષય થાય છે. પુરુષવેદને ઉદય. વિદ થયા પછી આત્મા અવેદી-વેદના ઉદય વિનાને થાય છે. આ પ્રમાણે પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર આશ્રથિ સમજવું. જ્યારે નપુસકદના ઉદયે ક્ષપકશ્રેણિને સ્વીકાર કરે, ત્યારે પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદને એક સાથે ખપાવે છે. સ્ત્રીવેદ અને નપુંસક-- વેદના ક્ષય થતાની સાથે જ પુરુષવેદને બંધ વિકેદ થાય છે. ત્યારપછી અંતમુહૂર્વકાળે પુરુષવેદ અને હાયાદિષકને પણ એક સાથે જ ક્ષય થાય છે. જ્યારે સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભે, ત્યારે પહેલાં નપુસકવેદન ક્ષય કરે, ત્યારપછી સ્ત્રીવેદને ક્ષય કરે વેદના ક્ષય સાથેજ પુરુષવેદને અંધવિચ્છેદ થાય, પછી અદક છતે પુરુષ અને હાસ્યાદિષ્ટ્રક. એક સાથેજ ક્ષય કરે છે. ત્યારપછી ક્રેધાદિને ક્ષય કરવા પ્રયત્ન કરે છે. હવે અહિં પુરુષ ક્ષપકશ્રેણિ માંડનાર આશ્રથિ પ્રસંગાગત હકીકત કહે છે-કેપને વેદતા જે સમયે, પુરુષવેદને ઉદયવિચછેદ થાય ત્યાંથી જેટલે કાળ ક્રોધને ઉદય રહેવાને છે, તેટલા કાળના ત્રણ વિભાગ કરે છે. તે આ પ્રમાણે-૧ અશ્વકકરણોદ્ધા. જેની અંદર અપૂર્વ પદ્ધક થવાની ક્રિયા થાય છે. ૨ કિફ્રિકરણદ્ધા. જેની અંદર કિઓિ થાય છે. કિટિંવેદનાહા. જે કાળમાં કરેલી કિઓિ વેદાય છે. અશ્વકર્ણ કરણાદ્ધમાં વર્તમાન આત્મા સંજવલન કૈધાદિ ચારેની અસરકરણ ઉપરની માટી સ્થિતિમાં અનંતા અપૂર્વ સ્પદ્ધ કરે છે આ કાળમાં વર્તમાન પુરુષવેદને પણ સમય ન્યૂન બે આલિકા કાળે ગુણસમવડે ક્રેપમાં સંક્રમાવતા સંદેમાવતા ચરમસમયે સર્વસંક્રમવડે સંક્રમાવી તેની સત્તા રહિત થાય છે. અર્થક કારણોદ્ધા ૧ અન્તરીકરણ કર્યા પછી જ ક્ષય કરવાને આરંભ કરે છે, પરંતુ પહેલા કરતા નથી, એમ અહિ સમજવાનું નથી, અપૂર્વકરણના પ્રથમ સમયથી આરંભી સ્થિતિઘાતાદિ પ્રવરે છે. અને સ્થિતિ, અને દલિક ઓછા થતા જાય છે. ગુણસંક્રમવડે અબધમાન તમામ પ્રકૃતિના દલિક બધ્યમાન પ્રકૃતિમાં સંક્રયે જાય છે. વધારામાં નવમે ગુણસ્થાને જેટલી પ્રકૃતિઓને સર્વચા ક્ષય થાય છે, તેઓને ઉદલના સંક્રમ પણ થાય છે. તાત્પર્ય એ કે બધાને ક્ષય તો થતાજ જાય છે. અંતકરણ કર્યા પછી આરણ કરે છે એ લખવાનું તાત્પર્ય એટલું જ કે અત્યાર સુધી સામાન્ય ક્રિયા થતી હતી, તે જે જે પ્રકૃતિ પહેલાં પહેલાં નિમેળ થવાની હોય તેની તેની અંદર વિશેષ-મુખ્ય ક્રિયા થાય છે. ઉદલના સમનું સ્વરૂપ સંક્રમકરણમાંથી જોઈ લેવું.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy