SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ એકેન્દ્રિય જાતિને એકથી ચાર સમય અને અતિસલિષ્ટ પરિણામી ઈશાન સુધીના દે આતપ નામકર્મને એકથી બે સમય જઘન્ય રસબંધ કરે છે. પરાવર્તમાન-મધ્યમ પરિણામી એટલે અંતઃકોડાકોડી સાગરોપમથી પ્રતિપક્ષી શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી વર્તતા મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવે એકથી ચાર સમય સુધી સ્થિર–અસ્થિર, શુભ, અશુભ, યશ-અયશ અને સાતા–અસાતા એ આઠને જઘન્ય રસબંધ કરે છે. વધારે વિશુદ્ધ પરિણામે સ્થિરાદિ શુભ પ્રકૃતિએને અને વધારે સંકિલષ્ટ પરિણામે અસ્થિરાદિ અશુભ પ્રવૃતિઓને મધ્યમ અથવા ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. માટે પરાવર્તમાન મધ્યમ પરિણમી કહેલ છે. અતિસક્લિષ્ટ પરિણામી ચારે ગતિના છ યથાસંભવ નારક અને તિયચ પ્રાગ્ય પ્રકૃતિ સાથે ત્રસ ચતુષ્ક, શુભવ ચતુષ્ક, તેજસ ચતુષ્ક, પરાઘાત ઉચ૭ વાસ અને પંચેન્દ્રિય જાતિ એ પંદર પ્રકૃતિઓને જઘન્ય રસબંધ કરે છે, પરંતુ ઈશાન સુધીના દેવ અતિસંકિલષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાગ્ય બંધ કરતા રહેવાથી પંચે ન્દ્રિય જાતિ તથા ત્રસ નામકર્મને જઘન્ય રસબંધ કરતા નથી. તસ્ત્રાગ્ય વિશુદ્ધ, ચારે ગતિના મિથ્યાષ્ટિઓ નપુંસકવેદ અને સ્ત્રીવેદને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેથી વધારે વિશુદ્ધ પરિણામે ફક્ત પુરુષવેદને જ બંધ કરે છે. પરાવર્તમાન–મધ્યમ પરિણામી ચારે ગતિના મિથ્યાદષ્ટિએ મનુષ્યદ્ધિક, બે વિહાગતિ, છ સંઘયણ, છ સંસ્થાન, સૌભાગ્યત્રિક, કૌભાંત્રિક અને ઉચગાત્ર આ ત્રેવીશ પ્રકૃતિઓને એકથી ચાર સમય સુધી જઘન્ય રસબંધ કરે છે. તેથી વધારે વિશુદ્ધિએ વત્તતા ઉપરોક્ત ત્રેવીશમાંની શુભ પ્રકૃતિઓને અને વધારે સંલિષ્ટતામાં વર્તતા અત્યંત અશુભ પ્રવૃતિઓને જ મધ્યમ કે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. તેમ જ સમ્યગ્દષ્ટિઓ મનુષ્યદ્રિક, શુભ વિહાયોગતિ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, ઉચ્ચગોત્ર અને સૌભાગ્યત્રિક આ નવ સિવાયની ચૌદ પ્રકૃતિએ બાંધતા જ નથી. તેમ જ આ નવ પ્રકૃતિએ બાંધે છે પણ તેઓને યથાસંભવ મધ્યમ કે ઉત્કૃષ્ટ જ રસ બંધાય છે માટે પરાવર્તમાન-મધ્યમ પરિણામી મિથ્યાત્વી જ જઘન્ય રસબંધક કહ્યા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ તથા જઘન્ય રસબંધના સ્વામી કહ્યા. તેના પ્રસંગથી આ ઉત્કૃષ્ટ જઘન્ય રસબંધ કેટલા કાળ સુધી થાય તેનું સામાન્યથી વર્ણન કરે છે. જે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય રસબંધ ગુણાભિમુખ અથવા દેષાભિસુખ અવસ્થામાં જ થતું હોય ત્યાં તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક જ સમય થાય છે. વળી જે પ્રકૃતિઓને ગુણાભિમુખ કે દેવાભિમુખ અવસ્થા વિના માત્ર અતિસંકિલષ્ટ કે અતિવિશુદ્ધ પરિણામે ઉત્કૃષ્ટ કે જઘન્ય રસબંધ થતો હોય ત્યાં તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય થાય છે. જે પ્રકૃતિઓને પરાવર્તમાન મધ્યમ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy